Surat: કૃત્રિમ તળાવમાં બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાનું વિસર્જન નહીં થાય

સુરતમાં 19 તળાવો બનાવવામાં આવનાર છે. જોકે બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. બે ફૂટની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા દેવામાં આવશે નહીં.

Surat: કૃત્રિમ તળાવમાં બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાનું વિસર્જન નહીં થાય
Ganesh Chaturthi 202
Follow Us:
| Updated on: Sep 06, 2021 | 6:46 PM

આવતા અઠવાડિયે ગણેશોત્સવનો(Ganesh Festival) પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ગણપતિ મહોત્સવ સાર્વજનિક રીતે ઉજવાઈ શક્યો ન હતો પણ આ વર્ષે રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ગણેશોત્સવ ઉજવવાની મંજૂરી પણ આપી દીધી છે. જેના કારણે ગણેશભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ પણ આ ઉત્સવને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે 19 જેટલા કૃત્રિમ તળાવ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવનાર છે. છતાં લોકોને ઘર આંગણે જ પ્રતિમાઓનું વિર્સજન કરવા અપીલ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સુરતમાં 19 તળાવો બનાવવામાં આવનાર છે. જોકે બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. બે ફૂટની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા દેવામાં આવશે નહીં.

આ ઉપરાંત જે મંડળ દ્વારા પીઓપીની સ્થાપના કરી છે. તેમને પણ આવી મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાને બદલે સીધી દરિયામાં લઈ જવા માટે અપીલ કરવામાં આવશે. એટલું જ નહીં ગણપતિ આગમન અને ગણપતિ વિસર્જન દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન શાંતિપૂર્વક પાર પડે તે માટે અત્યારથી જ તળાવો ખોદવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે શહેરમાં 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. થોડા દિવસો પહેલા રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યમાં તા.9મીથી 19 સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવને મંજૂરી આપી છે. આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને રાત્રિ કર્ફ્યુમાં પણ એક કલાકની છૂટ આપવામાં આવી છે.

સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટની અને ઘરમાં 2 ફૂટની ગણેશ મૂર્તિની પ્રતિમા સ્થાપના કરી શકાશે. જેમાં મંડપ બને ત્યાં સુધી નાનો રાખવાનો રહેશે. મંડપમાં પૂજા, આરતી કે પ્રસાદનું વિતરણ કરી શકાશે. જોકે ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 15 વ્યક્તિની મર્યાદામાં વાહનમાં નજીકના કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરી શકાશે.

ખાસ કરીને ગયા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર સુરતના ગણેશભક્તો આ વર્ષે કોરોનાની  ગાઈડલાઈનના પાલન સાથે સાવર્જનિક ઉત્સવ માટેની માંગ કરી રહ્યા હતા અને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ ઉજવવા માટે મંજુરી આપી છે.

આ પણ વાંચો : Surat : ફૂટવેર કંપનીએ ચીંધી નવી રાહ, કિન્નરને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર અને કરાવ્યું ફોટો શૂટ

આ પણ વાંચો : Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">