Surat : મુસ્લિમ કારીગરોએ સુરતમાં ગણપતિ બાપ્પા માટે બનાવ્યું 174 પિલર ધરાવતું રામમંદિર

વધુ એક વખત સુરતમાં કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું છે. જેમાં મુસ્લિમ કારીગરો દ્વારા ગણપતિ બાપ્પા માટે થર્મોકોલનું રામમંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

Surat : મુસ્લિમ કારીગરોએ સુરતમાં ગણપતિ બાપ્પા માટે બનાવ્યું 174 પિલર ધરાવતું રામમંદિર
Surat: Muslim craftsmen build 174-pillar Ram temple for Ganapati Bappa in Surat
Follow Us:
| Updated on: Sep 04, 2021 | 8:44 AM

અયોધ્યામાં રામમંદિર બનવાનું ભારતીયોનું સપનું આગામી થોડા વર્ષોમાં પૂર્ણ થઇ જશે. પરંતુ તે પહેલા સુરતમાં રામમંદિર બનીને તૈયાર થઇ ગયું છે. અહીં વાત છે આવી રહેલા ગણેશઉત્સવને લઈને. જ્યાં સુરતના એક ગણપતિ મંડળ દ્વારા આ વર્ષે અયોધ્યા રામમંદિરની થીમ પર ગણપતિ બાપ્પાનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે આ રામ મંદિર અન્ય કોઈ કારીગરો દ્વારા નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષે સુરતમાં થીમ બેઇઝડ ગણપતિની મૂર્તિઓ અને મંડપ સજાવવાનું આયોજન થતું આવ્યું છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા આ વર્ષે રામમંદિરની થીમ પર ગણપતિનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે સુરતમાં મંડપ કારીગરીનું કામ બહારથી આવતા બંગાળી અને કલકત્તાના કારીગરો દ્વારા કરવામાં આવે છે.

ત્યારે રામમંદિરની થીમ પર તૈયાર કરવામાં આવેલા આ મંડપનું કામ મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતમાં છ મુસ્લિમ બિરાદરો આ રામ મંદિરને આખરી ઓપ આપી રહ્યા છે. છ મુસ્લિમ કારીગરો 16 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા થર્મોકોલના મંદિરને બનાવી રહ્યા છે. જેમાં 174 જેટલા થર્મોકોલના પિલર પણ હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી શકાય તે માટે તેઓ ખુબ બારીકાઇ અને ઝીણવટભરી રીતે કામ કરી રહ્યા છે. આ મંદિરની કિંમત પણ અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી છે. સુરતના અડાજણ વિસ્તારના ગાર્ડન ગ્રુપ દ્વારા આ મંદિર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

તેમના કહેવા પ્રમાણે દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી માટીની નાની પ્રતિમાનું જ સ્થાપન કરશે. પણ કોરોનાના કારણે તેઓ આ વખતે આગમનયાત્રા કાઢવાના નથી. જોકે જે ગણેશભક્તો ગણપતિના દર્શન માટે આવે છે તેમને અયોધ્યા રામમંદિરની ઝાંખી મળી રહે તે માટે તેઓએ આ વર્ષે મંડપ રામમંદિરની થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. અને કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ તો એ છે કે આ રામમંદિર કોઈ બીજા કારીગરો નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો :

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">