AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મુસ્લિમ કારીગરોએ સુરતમાં ગણપતિ બાપ્પા માટે બનાવ્યું 174 પિલર ધરાવતું રામમંદિર

વધુ એક વખત સુરતમાં કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું છે. જેમાં મુસ્લિમ કારીગરો દ્વારા ગણપતિ બાપ્પા માટે થર્મોકોલનું રામમંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

Surat : મુસ્લિમ કારીગરોએ સુરતમાં ગણપતિ બાપ્પા માટે બનાવ્યું 174 પિલર ધરાવતું રામમંદિર
Surat: Muslim craftsmen build 174-pillar Ram temple for Ganapati Bappa in Surat
| Updated on: Sep 04, 2021 | 8:44 AM
Share

અયોધ્યામાં રામમંદિર બનવાનું ભારતીયોનું સપનું આગામી થોડા વર્ષોમાં પૂર્ણ થઇ જશે. પરંતુ તે પહેલા સુરતમાં રામમંદિર બનીને તૈયાર થઇ ગયું છે. અહીં વાત છે આવી રહેલા ગણેશઉત્સવને લઈને. જ્યાં સુરતના એક ગણપતિ મંડળ દ્વારા આ વર્ષે અયોધ્યા રામમંદિરની થીમ પર ગણપતિ બાપ્પાનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે આ રામ મંદિર અન્ય કોઈ કારીગરો દ્વારા નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષે સુરતમાં થીમ બેઇઝડ ગણપતિની મૂર્તિઓ અને મંડપ સજાવવાનું આયોજન થતું આવ્યું છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા આ વર્ષે રામમંદિરની થીમ પર ગણપતિનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે સુરતમાં મંડપ કારીગરીનું કામ બહારથી આવતા બંગાળી અને કલકત્તાના કારીગરો દ્વારા કરવામાં આવે છે.

ત્યારે રામમંદિરની થીમ પર તૈયાર કરવામાં આવેલા આ મંડપનું કામ મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતમાં છ મુસ્લિમ બિરાદરો આ રામ મંદિરને આખરી ઓપ આપી રહ્યા છે. છ મુસ્લિમ કારીગરો 16 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા થર્મોકોલના મંદિરને બનાવી રહ્યા છે. જેમાં 174 જેટલા થર્મોકોલના પિલર પણ હશે.

રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી શકાય તે માટે તેઓ ખુબ બારીકાઇ અને ઝીણવટભરી રીતે કામ કરી રહ્યા છે. આ મંદિરની કિંમત પણ અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી છે. સુરતના અડાજણ વિસ્તારના ગાર્ડન ગ્રુપ દ્વારા આ મંદિર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

તેમના કહેવા પ્રમાણે દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી માટીની નાની પ્રતિમાનું જ સ્થાપન કરશે. પણ કોરોનાના કારણે તેઓ આ વખતે આગમનયાત્રા કાઢવાના નથી. જોકે જે ગણેશભક્તો ગણપતિના દર્શન માટે આવે છે તેમને અયોધ્યા રામમંદિરની ઝાંખી મળી રહે તે માટે તેઓએ આ વર્ષે મંડપ રામમંદિરની થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. અને કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ તો એ છે કે આ રામમંદિર કોઈ બીજા કારીગરો નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો :

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">