Surat : એરપોર્ટ પર સીઆઇએસએફના કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રધ્વજ ઊંધો પકડવા બાબતે કાર્યવાહી કરવા માગ

રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સીઆઈએસએફ જેવી એક જવાબદાર સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ એવી માગ કરવામાં આવી હતી . અખિલ ભારતીય સેવાદળના આગેવાનો ભેગા મળીને આ બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. 

Surat : એરપોર્ટ પર સીઆઇએસએફના કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રધ્વજ ઊંધો પકડવા બાબતે કાર્યવાહી કરવા માગ
Demand for action for insulting national flag during CISF program at airport(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 8:21 AM

સુરત એરપોર્ટની(Surat Airport ) સુરક્ષાનો હવાલો શહેર પોલીસ પાસેથી સીઆઈએસએફને(CISF)  આપવામાં આવ્યો છે. તે સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં સીઆઈએસએફના જવાનો દ્વારા ભારતના રાષ્ટ્ર ધ્વજને(Flag ) ઊંધો લહેરાવવામાં આવ્યો હતો . ત્યારે હવે  રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે .

અખિલ ભારતીય સેવાદળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવાયું કે , સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ એરપોર્ટ ખાતે ઈન્ડકશન કાર્યક્રમ પ્રસંગે સીઆઈએસએફના જવાનો દ્વારા સ્ફૂર્તિ , શક્તિ અને સુરક્ષાના કેટલાક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા . જે એક સરાહનીય બાબત છે . પરંતુ આ કાર્યક્રમ દરમિયાન સાતથી આઠ જેટલા જવાનોએ એક કાર્યક્રમ રજુ કર્યો હતો .

જેમાં એક જવાનના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો . જેનો લીલા રંગનો છેડો ઉપરની તરફ અને કેસરી રંગનો છેડો નીચેની તરફ હતો . જેથી રાષ્ટ્રધ્વજને ઊંધો લહેરાવવામાં આવ્યો હતો . જેનાથી ખરેખર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે . આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્યો તથા અનેક લોકો હાજર હતા .

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સીઆઈએસએફ જેવી એક જવાબદાર સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ એવી માગ કરવામાં આવી હતી . અખિલ ભારતીય સેવાદળના આગેવાનો ભેગા મળીને આ બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.

નોંધનીય છે કે સુરત એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે થોડા દિવસો પહેલા જ સરકાર દ્વારા સીઆઇએસએફના જવાનોની ટુકડીની ફાળવણી કરવામાં આવી છે. અત્યારસુધી એરપોર્ટની સુરક્ષાની જવાબદારી પોલીસના હાથમાં હતી. પણ હવે સીઆઇએસએફના જવાનોના હાથમાં સુરત એરપોર્ટની સુરક્ષાની કમાન આવતા એરપોર્ટની સુરક્ષામાં વધારો થયો છે. અને તેનાથી શહેરને ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.

જોકે સીઆઇએસએફના જવાનોને સુરતમાં ફાળવણી બાબતે એરપોર્ટ પર જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી. જેથી આ રજુઆત કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન અખિલ ભારતીય સેવાદળના આગેવાનો પ્રભુદાસભાઈ ટી . પટેલ , મોહંમદ ઈકબાલ શેખ , એલ . ડી . પાલિડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા .

આ પણ વાંચો :

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">