AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સાયબર ક્રાઇમ પોલીસનું મોટું ઓપરેશન, યુવકના ઘરેથી 1,41,00,000 રોકડા કબજે કર્યા

એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી.

Surat : સાયબર ક્રાઇમ પોલીસનું મોટું ઓપરેશન, યુવકના ઘરેથી 1,41,00,000 રોકડા કબજે કર્યા
Surat Police Seize Currency
Baldev Suthar
| Edited By: | Updated on: May 25, 2023 | 12:12 PM
Share

સુરતમાં (Surat)  સાયબર ક્રાઇમ(Cyber Crime)  પોલીસે બાતમીને આધારે 1,41,00,000 રોકડા રૂપિયા કબજે કર્યા છે. પોલીસને બાતમીદાર માહિતી આપી હતી કે ઊન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે સાયબર ફ્રોડની રકમ રકમ ઘરે રહેલી છે. જે આધારે તપાસ કરતા સાયબર પોલીસે 2000,500 અને 200 ના દર ની એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. અને આ અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને વધુ તપાસ માટે જાણ કરી છે. તો ખરેખર આ રૂપિયા સાયબર ફ્રોડ ના છે કે નહીં તે અંગે પણ સાઇબર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે

સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડનાં ગુન્હાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે. અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે આજે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે , ઉન પાટીયા વિસ્તારમાં મદની મસ્જીદની બાજુમાં, સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબાર નગર ના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે.

એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી

તેના ઘરે કરોડો રોકડા રૂપીયા રાખેલ છે. આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાકી મુજબના ઘરે તપાસ કરતા એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી હતી.સાયબર પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી રૂપિયા 2000 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-500 મળી રૂ.10,00,000, રૂપિયા 500 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-23,100 મળી 1,15,50,000 નોટ મળી  આવી .

ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે

આ ઉપરાંત  રૂપિયા 200 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-6000 મળી રૂ.12,00,000 તથા રૂપિયા 100 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-3500 મળી રૂ.3,50,000 મળી કુલ રૂપિયા1,41,00,000 મળી આવેલ હતા. પોલીસે તમામ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.

વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી

એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં.

કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે

ઘરે તેના માતા પિતા અને પરિવારના સભ્યો જ હાજર હતા. જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે. તે ઉપરાંત અમારી સાયબર સેલની ટીમ દ્વારા જે રીતે બાતમી આપવામાં આવી હતી તે મુજબ સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. જો તપાસમાં વસીમ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું સાઇબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા હોવાનું જણાશે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે.

RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
g clip-path="url(#clip0_868_265)">