Surat: ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે સારા સમાચાર, શહેરમાં ચાર્જિંગ માટે કોર્પોરેશન 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરશે

પ્રતિવર્ષ (Every Year) 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થઈ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Surat: ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે સારા સમાચાર, શહેરમાં ચાર્જિંગ માટે કોર્પોરેશન 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરશે
Charging Station For Electric Vehicles (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 3:31 PM

પ્રદૂષણ(Pollution) નિયંત્રિત કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈલેક્ટ્રિક (Electric ) વ્હીકલ પોલિસીનો અમલ શરુ કર્યો છે. રાજ્યભરમાં આ પોલિસી (Policy) લાવનારી સુરત કોર્પોરેશન પહેલી મહાનગરપાલિકા છે. આ પોલિસી પ્રમાણે જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઈલેક્ટ્રિક વ્હીકલ માટે જરૂરી ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવવા પ્રથમ ફેઝની કામગીરીમાં કોર્પોરેશન દ્વારા જુદાંજુદાં વિસ્તારમાં 50 લોકેશનો પર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 50 ચાર્જિંગ સ્ટેશનો પૈકી પહેલા તબક્કામાં સુરતના અલગ અલગ 25 લોકેશનો પર ફાસ્ટ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવીને તેનું 10 વર્ષ સુધી કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવા માટે સુરત કોર્પોરેશન પાસે 13.60 કરોડની લઘુતમ ઓફર આવી છે.

25 ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા 10.39 કરોડ તથા 10 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ માટે 3.20 કરોડની લોએસ્ટ ઓફર: કુલ 50 સ્ટેશનો બનાવવાનું આયોજન

સરકારના ડીપાર્ટમેન્ટ હેવી ઈન્ડસ્ટ્રીઝ (ડીએચઆઇ) દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઈક્વિપમેન્ટ પર સુરત મહાનગરપાલિકાને 32.25 કરોડની ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ છે. આ ગ્રાન્ટના ઉપયોગમાંથી મનપા દ્વારા 50 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. જેના પહેલા તબક્કામાં 25 ફાસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા 10 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સના ટેન્ડર અંતર્ગત મનપા સામે બે એજન્સીઓની ઓફર આવી છે. જે પૈકી લોએસ્ટ ટેન્ડરર એજન્સી દ્વારા 25 લોકેશનો પર ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા માટે 10.39 કરોડ અને 10 વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ કરવા 3.20 કરોડની લોએસ્ટ ટેન્ડર ઓફર કરવામાં આવ્યું છે.

સુરત કોર્પોરેશન દ્વારા આ ચાર્જિંગ સ્ટેશનોની કુદરતી આપત્તિઓ, અકસ્માત, આગ, ચોરીથી થનાર સંભવિત નુક્સાન માટે ભારત સરકારની જનરલ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ લાઈફ સુધી વીમો પણ કરાવવાનો રહેશે. આ માટે મનપા દ્વારા ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ક્વોટેશન મગાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધનીય છે કે સુરત મનપા દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવા માટે કામગીરી થઈ રહી છે અને પ્રતિવર્ષ 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઈલેક્ટ્રિક વાહનો દોડતાં થઈ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ માટે અલાયદી પોલિસી તૈયાર કરી છે અને આ પોલિસીના ઘણાં સકારાત્મક પરિણામો પણ ગણતરીના મહિનાઓમાં નજરે પડી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી વાહનચાલકોના ખિસ્સા પર બોજો પણ વધ્યો છે. જેના કારણે લોકો હવે ઈલેક્ટ્રેકિ વાહનો ખરીદવા તરફ વળ્યા છે. એટલું જ નહીં ઈ બાઈક ખરીદવા માંગતા લોકોએ વેઈટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. આમ, શહેરમાં હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદનાર લોકોની સંખ્યામાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઈ બાઈક ખરીદવા માંગતા લોકોએ વેઈટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">