Surat: જીમ પર કોરોનાનું ગ્રહણ, અત્યાર સુધીમાં 15%થી વધુ જીમને તાળા

કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.,ત્યારે હાલ ઘટતાં કોરોના સંક્રમણ વચ્ચે જીમ સંચાલકોને મંજુરી ન મળતા જીમ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 4:31 PM

Surat : કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પ્રકોપ વરસાવ્યો છે, ત્યારે કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે,ત્યારે હાલ ઘટતાં કોરોના સંક્રમણ વચ્ચે જીમ સંચાલકોને મંજુરી ન મળતા જીમ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જિમ અને ફિટનેસ સેન્ટર ચલાવતા સંચાલકોનું કહેવું છે કે, રાજ્યમાં અનલોકની પ્રક્રિયામાં  ઇન્ડસ્ટ્રીઝને છૂટછાટ આપવામાં આવી છે તો જિમ ઇન્ડસ્ટ્રીઝને કેમ નહિ તેવા સવાલો જીમ સંચાલકો  ઉઠાવી રહ્યા છે.  મહત્વપૂર્ણ છે કે, કોરોનાને કારણે અનેક જીમ સંચાલકોની હાલત કફોડી બની છે અને અત્યારસુધીમાં   15% થી વધારે જીમોને તાળા લાગી ગયા છે.

 

 

જીમ સંચાલકોની હાલત કફોડી

છેલ્લાં દોઢ વર્ષથી જીમ બંધ રહેતા જીમ સંચાલકોની હાલત કફોડી બની છે.   કોરોનાને કારણે હાલ અસંખ્ય જિમ અને ફિટનેસ સેન્ટરો બંધ કરવાની નોબત આવી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ કે વીજ બીલમાં ફિક્સ ચાર્જમાં જે રાહત આપવામાં આવી છે તે પૂરતી ન હોવાનું જીમ સંચાલકોનું કહેવું છે.

લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય તો જીમને શરૂ કરવાની પરવાનગી કેમ નથી આપવામાં આવતી તે પ્રશ્ન હાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સુરતમાં જિમ ચલાવતા બ્રિજેશ દોશીનું કહેવું છે કે,”આજે ટેકસટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટમાં સૌથી વધારે ભીડ દેખાઈ રહી છે તેટલી ભીડ તો જીમમાં થવાની નથી, અહીં જે લોકો આવે છે તે હેલ્થ કોન્સિયસ  હોય છે એટલે ગાઈડલાઈનનું પાલન અહીં થવાનું જ છે. જેથી સરકારે તાકીદે જિમ અને ફિટનેસ સેન્ટર શરૂ કરવા પર વિચાર કરવો જોઈએ.”

જિમ સંચાલક વાસુભાઈનું કહેવું છે કે,” છેલ્લા 15 મહિનાથી જીમમાં કોઈ આવક જ નથી  પણ તેની સામે ખર્ચા પુષ્કળ છે,જો કોરોનાની અસર લાંબી અસર રહેશે તો હજી બીજા જિમ પણ સમયાંતરે બંધ થઈ જશે.”

 

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">