AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી

સ્થાનિક અગ્રણી ધર્મેશ ગામીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સુમુલ ડેરી દ્વારા જે દુધનું વેચાણ કરવામાં આવે છે, તે દૂધની થેલી પર કૃષ્ણ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે. જોકે આ દૂધની થેલીના વપરાશ બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી
Surat: Controversy over Sumul Dairy posting Krishna's photo on milk bag
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:23 PM
Share

Surat :  સુરતની સુમુલ ડેરીનો (Sumul Dairy)નવો વિવાદ (Controversy)સામે આવ્યો છે. જેમાં ગાયના દૂધની થેલી પર કૃષ્ણ ભગવાન (Lord Krishna)અને ગાય સાથેનો ફોટો મૂકીને વેચાણ કરવામાં આવતા સ્થાનિક આગેવાન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

સ્થાનિક અગ્રણી ધર્મેશ ગામીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સુમુલ ડેરી દ્વારા જે દુધનું વેચાણ કરવામાં આવે છે, તે દૂધની થેલી પર કૃષ્ણ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે. જોકે આ દૂધની થેલીના વપરાશ બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. જેથી તે એક રીતે ભગવાનનું અપમાન કહેવાય. જેથી અમે માંગણી કરીએ છીએ કે આ ફોટો તાત્કાલિક હટાવીને બીજો લોગો મુકવામાં આવે.

જોકે આ અંગે સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના મનીષ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આ વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવી રહ્યો છે. દૂધની થેલી પર એક બાળકનો ફોટો મોરપીંછ અને ગાય સાથે મુકવામાં આવ્યો છે.

છતાં લોકોની જો લાગણી દુભાઈ હોય તો અમે તેના પર વિચાર કરીને જલ્દી નિર્ણય કરીશું. જોકે આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવી હતી, પણ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો છે.

જોકે આ વિવાદ થતા લોકો પણ ચર્ચા કરી રહ્યા છે, અને સુમુલ ડેરી દ્વારા આ લોગોને હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આ વિવાદ બાદ સુમુલના સત્તાધીશો આ બાબતે ક્યારે પગલાં લે છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી મોટી બનાવાઈ પાવર બેંક, વોશિંગ મશીન અને ઈલેક્ટ્રિક સ્કૂટર પણ કરી શકાય ચાર્જ

આ પણ વાંચો : ઓગસ્ટમાં લોન્ચ થશે ‘Chandrayaan 3’ 2022 માટે ISROએ બનાવ્યો મોટો પ્લાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">