AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે

Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ
Surat: Contaminated drinking water cries in Haripura area in rains
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:53 AM
Share

Surat સુરતના કોટ વિસ્તારમાં ફરી એક વાર ગંદા પાણીની(Dirty Water ) ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર હરિપુરા(Haripura ) વિસ્તારમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની ભીતિ છે. આ માટેની ફરિયાદ પણ સુરત મહાનગર પાલિકાને(Surat Municipal Corporation ) કરવામાં આવી છે.

શહેરના વોલ સીટી ખાતે આવેલા હરિપુરા પીરછડી રોડ પર છેલ્લા એક સપ્તાહથી ગંદા પાણીની સમસ્યા છે. સમગ્ર વિસ્તારને સાંજના સમયે પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણી ડહોળું અને દુર્ગંધ યુક્ત પીવાનું પાણી મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

પીરછડી રોડ પર સેંકડોની સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અહીંના દરેક ઘરોમાં પીવાના પાણીની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નથી.

હાલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે.ર સ્તાઓ તૂટી ગયા છે.જેને લઈને પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લઈને નુકશાન થતા બંને લાઇનનું પાણી ભેગું થઇ જતા પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે. લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય દેખાઈ રહ્યો છે. હરિપુરા વિસ્તારમાં આવેલ દાદાસાહેબ જૈન મંદિર, ભોંય શેરી, ભઠ્ઠી શેરી, હરિપુરા મેઈન રોડ વિસ્તારતમાં પણ આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે.

ફરિયાદો કરવા છતાં પણ આગામી દિવસોમાં જો સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરીને તાકીદના પગલાં ભરવામાં નહીં આવે તો નજીકના દિવસોમાં મુખ્ય કચેરીએ મોરચો માંડવાની તૈયારી પણ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પાલિકા કચેરીનો ઘેરાવો કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. રોગચાળાના કારણે હરિપુરાના રહીશોની ફરિયાદનું નિરાકરણ લાવવાની માંગ હવે ઉગ્ર બની રહી છે.

આ પણ વાંચો :

Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો :

રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">