Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે

Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ
Surat: Contaminated drinking water cries in Haripura area in rains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:53 AM

Surat સુરતના કોટ વિસ્તારમાં ફરી એક વાર ગંદા પાણીની(Dirty Water ) ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર હરિપુરા(Haripura ) વિસ્તારમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની ભીતિ છે. આ માટેની ફરિયાદ પણ સુરત મહાનગર પાલિકાને(Surat Municipal Corporation ) કરવામાં આવી છે.

શહેરના વોલ સીટી ખાતે આવેલા હરિપુરા પીરછડી રોડ પર છેલ્લા એક સપ્તાહથી ગંદા પાણીની સમસ્યા છે. સમગ્ર વિસ્તારને સાંજના સમયે પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણી ડહોળું અને દુર્ગંધ યુક્ત પીવાનું પાણી મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

પીરછડી રોડ પર સેંકડોની સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અહીંના દરેક ઘરોમાં પીવાના પાણીની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નથી.

હાલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે.ર સ્તાઓ તૂટી ગયા છે.જેને લઈને પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લઈને નુકશાન થતા બંને લાઇનનું પાણી ભેગું થઇ જતા પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે. લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય દેખાઈ રહ્યો છે. હરિપુરા વિસ્તારમાં આવેલ દાદાસાહેબ જૈન મંદિર, ભોંય શેરી, ભઠ્ઠી શેરી, હરિપુરા મેઈન રોડ વિસ્તારતમાં પણ આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે.

ફરિયાદો કરવા છતાં પણ આગામી દિવસોમાં જો સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરીને તાકીદના પગલાં ભરવામાં નહીં આવે તો નજીકના દિવસોમાં મુખ્ય કચેરીએ મોરચો માંડવાની તૈયારી પણ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પાલિકા કચેરીનો ઘેરાવો કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. રોગચાળાના કારણે હરિપુરાના રહીશોની ફરિયાદનું નિરાકરણ લાવવાની માંગ હવે ઉગ્ર બની રહી છે.

આ પણ વાંચો :

Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો :

રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">