AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં રાજ્યસભા અને લોકસભામાં સાંસદ હાજર રહ્યા હતા. જેમાં તમામ સાંસદોને પોતાની લોકસભા બેઠક વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં જનસંપર્ક કરવાની સૂચના આપી હતી.

Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી
Before the assembly elections, the PM took a class of Gujarat MPs meeting with all in Delhi
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 29, 2022 | 4:58 PM
Share

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat assembly elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગુજરાતનાં સાંસદો સાથે નવી દિલ્હીમાં એક બેઠક (meeting) કરી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) તથા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ હાજર રહ્યા હતા. જેમાં PM દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ ચૂંટણી માટે અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે વર્ષે ભાજપ એ ચૂંટણીમાં 182નું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં પંજાબને બાદ કરીયે તો 4 રાજ્યો માં ભાજપને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવામાં સફળતા મળી છે ત્યારે ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે સાથે જ PMનું હોમ ટાઉન છે ત્યારે ગુજરાતની ચૂંટણીને લઈને pm મોદી સતત ગુજરાતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આજે બેઠકમાં કેટલાક મહત્વના સૂચનો કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં રાજ્યસભા અને લોકસભામાં સાંસદ હાજર રહ્યા હતા. જેમાં તમામ સાંસદોને પોતાની લોકસભા બેઠક વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં જનસંપર્ક કરવાની સૂચના આપી હતી. સાંસદોને કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જનસંપર્ક અને જાહેર કાર્યક્રમો કરવાનું સૂચન આપ્યું હતું. ઉપરાંત વિવિધ મોરચા અને જ્ઞાતિઓના સંમેલન કરવા અને 5 વર્ષમાં રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની કામગીરી સાથે લોકો વચ્ચે જવા સુચના આપી હતી.

વડાપ્રધાને સંસદોને સામાજિક અને રાજકીય સંમેલન કરવા, યુવાઓ માટે ખાસ કાર્યક્રમ કરવા અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના આગામી 3 મહિનામાં પુરી પાડવી પણ જણાવ્યું હતું. સાસંદોને ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત કરવા, સતત સરપંચ સંમેલન કરવા, વિસ્તારની સમસ્યાઓના ઝડપથી સમાધાન લાવવા અને વહીવટી પ્રોસેસના કારણે સામાન્ય લોકોને અગવડ ના પડે એનું ધ્યાન રાખવવા સૂચના આપી હતી.

વડાપ્રધાને સુચના આપી હતી કે તમામ લોકસભામાં સરપંચથી માંડીને પેજપ્રમુખ, mla તથા સ્થાનિક હોદ્દેદારોનું એક યુનિટ બનાવવું, સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર મુકવા અને જાહેર કાર્યક્રમોના માધ્યમથી જનસંપર્ક કરવા તથા મહિલાઓ તથા સિનિયર સીટીઝન સાથે જનસંપર્ક માટે આયોજન ગોઠવવા ઉપરાંત 1st ટાઈમ વોટર્સની અલગ યાદી તૈયાર કરવા અને સમાજના વિવિધ વર્ગમાં પ્રબુદ્ધ લોકોને ભાજપ સાથે જોડવા સુચના આપી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી

આ પણ વાંચોઃ Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં રોગચાળો વકર્યો, સૌથી વધુ બાળકો બીમાર, ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">