AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો

એલસી માટે પહોંચેલા વાલીઓએ વધારાની ફી આપવાનો ધરાર ઈન્કાર કરીને સંચાલકોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને પગલે એક તબક્કે શાળામાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. બીજી તરફ અગાઉ પણ વિવાદનું કેન્દ્ર બનેલી ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા આ મુદ્દે મગનું નામ મરી પાડવાને બદલે શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો

Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો
Surat Parents And Gajera Vidhyabhavan Managment
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:37 PM
Share

સુરતની(Surat)યેન કેન પ્રકારે વિવાદમાં રહેતી ગજેરા વિદ્યાભવન(Gajera Vidhya bhavan)આજે વાલીઓ અને સંચાલકો વચ્ચે વધુ એક વિવાદને પગલે ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના લિવીંગ સર્ટિફિકેટ (School Leaving) લેવા માટે પહોંચેલા મોટી સંખ્યામાં વાલીઓ પાસેથી સંચાલકો દ્વારા વધારાની ફી માંગવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે શાળા સંચાલકો દ્વારા શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી વિવાદ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી.આજે ઉત્રાણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં વાલીઓ અને સંચાલકો વચ્ચે વધારાની ફી મુદ્દે વિવાદ વકર્યો હતો. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના એલસી લેવા માટે પહોંચેલા વાલીઓ પાસેથી વધારાની ફી માગતા વાલીઓ વિફર્યા હતા.

ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા શાળાનો  મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો

શાળા દ્વારા અગાઉ નિર્ધારિત કરવામાં આવેલ ફી ભરપાઈ કરી દેવામાં આવી હોવા છતાં એલસી માટે પહોંચેલા વાલીઓએ વધારાની ફી આપવાનો ધરાર ઈન્કાર કરીને સંચાલકોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને પગલે એક તબક્કે શાળામાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. બીજી તરફ અગાઉ પણ વિવાદનું કેન્દ્ર બનેલી ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા આ મુદ્દે મગનું નામ મરી પાડવાને બદલે શાળાનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાલીઓને એલસી માટે વધારાની ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ 50થી વધુ વાલીઓએ વધારાની ફી ભરવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો.

નોંધનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા ફી ની બેફામ રીતે કરવામાં આવતી લૂંટ બાબતે સરકાર દ્વારા FRC કમિટી બનાવવામાં આવી હતી. જે આ ફી નું નિરીક્ષણ કરીને વાલીઓને તેમાં રાહત આપી શકે.જો કે ફી રેગ્યુલેટરી કમિટી પણ માત્ર મજાક બનીને રહી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે હજી પણ શાળા સંચાલકો દ્વારા બેફામ રીતે ફી ઉઘરાવીને વાલીઓને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. જેનું આ એક ઉદાહરણ છે.

આ પણ વાંચો : Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

આ પણ વાંચો : Gujarat Assembly Session Live: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">