AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા, તમામ પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થાઃ હર્ષ સંઘવી

સુરતમાં (Surat) પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને આમ છતાં જો કોઈ ઉમેદવારને સમસ્યા ઉદભવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો (Police Officers) સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Surat : આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા, તમામ પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થાઃ હર્ષ સંઘવી
Minister of State for Home Affairs Harsh Sanghvi
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:07 PM
Share

ગુજરાતમાં આવતીકાલે એટલે કે રવિવારે બપોરે 12થી 2 કલાક દરમિયાન લોકરક્ષક દળની ભરતી (Recruitment of Lokarakshak Dal)ની લેખિત પરીક્ષા (Exam) યોજાશે. રાજ્યના 954 સેન્ટર પર LRD બોર્ડ દ્વારા ભરતી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં આજે એક સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) લોકરક્ષક પરીક્ષા સંદર્ભે ઉમેદવારોને કોઈપણ પ્રકાર ખોટી વિગતોથી ન ભરાવવા માટે જણાવાયું હતું. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા આવતીકાલે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષા સંદર્ભે ખુબ જ સઘન કામગીરી હાથ ધરી છે.

રાજ્યભરમાં આ પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરી અટકાવવા માટે એક વર્ગખંડમાં એક જ જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. તો ખાસ કરીને સુરતમાં પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને આમ છતાં જો કોઈ ઉમેદવારને સમસ્યા ઉદભવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.

હાલમાં જ વલસાડમાં પત્રકાર પર કરવામાં આવેલ પોલીસ ફરિયાદ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પત્રકાર દ્વારા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં અહેવાલની તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે-સાથે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે.

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કાયદો હંમેશા કાયદાનું કામ કરશે. બીજી તરફ યુવરાજ સિંહ મુદ્દે પણ તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના ખોટા રાગ-દ્વેષથી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. યુવરાજ સિંહ દ્વારા અત્યાર સુધી જેટલી પણ ફરિયાદો-અરજીઓ કરવામાં આવી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">