AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : પાંડેસરામાંથી બિનવારસી મળેલી અઢી મહિનાની બાળકીનું કતારગામ અનાથ આશ્રમમાં મોત

બાળકી થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાંથી તરછોડાયેલી મળી આવી હતી. જે મામલે પાંડેસરા પોલીસે બાળકીને અનાથ આશ્રમમાં સોંપી હતી. બીજી બાજુ તેને તરછોડી ગયેલી નિષ્ઠુર જનેતાની તપાસ પણ ચાલુ છે.

SURAT : પાંડેસરામાંથી બિનવારસી મળેલી અઢી મહિનાની બાળકીનું કતારગામ અનાથ આશ્રમમાં મોત
પ્રતિકાત્મક તસ્વીર
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 03, 2022 | 12:32 PM
Share

સુરતના (SURAT) પાંડેસરામાંથી બિનવારસી (Inherited)મળેલી અઢી મહિનાની બાળકીનું ( Baby girl) કતારગામ અનાથ આશ્રમમાં મોત (Death ) થયું છે. આમ તો આ બાળકી માતાપિતા વગર આશ્રમમાં રહેતી હતી. જ્યારે આશ્રમમાં બાળકી સવારે બેભાન જણાતાં સંચાલકો દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી.

સુરત (SURAT) શહેરના પાંડેસરામાંથી (Pandesara) થોડા મહિના અગાઉ બિનવારસી મળેલી બાળકીને પોલીસે કતારગામ (Katar Gam) અનાથ આશ્રમમાં દેખરેખ માટે મૂકી હતી. પરંતુ બિન મા બાપની બાળકીની તબિયત સારી રહેતી ન હતી. કારણ કે માતા દ્વારા પાપ છુપાવવા માટે બાળકીને તરછોડવામાં આવી હતી. ત્યાં રવિવારે બાળકી સવારે બેભાન મળતાં સ્મીમેરમાં ખસેડાઈ હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. આમ કતારગામ ખાતે આવેલા વી.આર.પોપાવાલા આશ્રમ ચિલ્ડ્રન હોમ અનાથ આશ્રમમાં રહેતી અઢી મહિનાની દ્રવ્યા નામની બાળકીનું રવિવારે સવારે સ્મીમેર હોસ્પિટલમાં (Schmeier Hospital)મોત નીપજ્યું હતું.

નિષ્ઠુર જનતાએ બાળકીને કેમ તરછોડી ?

બાળકી થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાંથી તરછોડાયેલી મળી આવી હતી. જે મામલે પાંડેસરા પોલીસે બાળકીને અનાથ આશ્રમમાં સોંપી હતી. બીજી બાજુ તેને તરછોડી ગયેલી નિષ્ઠુર જનેતાની તપાસ પણ ચાલુ છે. પોલીસે જે-તે સમયે બનેવીની ધરપકડ કરી હતી. દરમિયાન આ બાળકીની સારસંભાળ થઈ શકે એ માટે પાંડેસરા પોલીસે બાળકીને કતારગામના અનાથ આશ્રમમાં મૂકી પાંડેસરામાં સાળી અને બનેવીના અનૈતિક સંબંધોનું પાપ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ઓક્ટોબર મહિનામાં ત્યજી દેવાયેલી બાળકી મળી હતી.

પાંડેસરા પોલીસે બાળકીને નવી સિવિલમાં સારવાર માટે મૂકી હતી. જ્યાં અઠવાડિયા દસ દિવસ તેની સારવાર ચાલી હતી. આ દરમિયાન પોલીસે બાળકીને ત્યજી દેનાર તેની નિષ્ઠુર માતાને પકડી પાડતાં સમગ્ર ઘટના સામે આવી હતી. પરંતુ બાળકીને નહીં સ્વીકારતાં સાજી થયા પછી કતારગામ ખાતે અનાથાશ્રમમાં મુકાઇ હતી. કતારગામ પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતાં બાળકીનાં સેમ્પલ લેવાયાં છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">