AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો

Surat : ગુજરાતમાં કોરોના (corona) સંક્રમણ ઘટતાં હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે. દુકાનો, માર્કેટ, લારી ગલ્લા, શોપિંગ સેન્ટરો, બજારો ધમધમવા લાગ્યા છે.

Surat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો
ટેક્સટાઇલ માર્કેટમાં ચેકીંગ હાથ ધર્યું
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 07, 2021 | 3:05 PM
Share

Surat : ગુજરાતમાં કોરોના(corona) સંક્રમણ ઘટતાં હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે. દુકાનો, માર્કેટ, લારી ગલ્લા, શોપિંગ સેન્ટરો, બજારો ધમધમવા લાગ્યા છે. તમામ મહાનગરોમાં હવે જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. કોરોનાના કેસો ઘટતા લોકો પણ બેફિકર જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે.

તેવામાં સુરત મનપા દ્વારા કોરોનાના કેસોને કાબુમાં કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કેસો ભલે કાબુમાં આવી ગયા હોય પણ કોરોના હજી ગયો નથી તેવી સમજ લોકોને કેળવવી જરૂરી છે. અને આ જ આશય સાથે મનપાની આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ સ્ક્વોડ બનાવીને ચેકીંગ હાથ ધર્યું હતું.

આજે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારની ટીમ દ્વારા ટેકસટાઇલ માર્કેટ એરિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટેકસટાઇલ માર્કેટ એવો વિસ્તાર છે જ્યાં બિઝનેસ માટે કાપડ વેપારીઓ, કારીગરોની સૌથી વધુ અવરજવર રહે છે. ત્યારે આજે આ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ સ્ક્વોડ દ્વારા માસ્ક વગર ફરતા કે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે વ્યક્તિઓ માસ્કનો દંડ ભરી ન શકે તેવા વ્યક્તિઓને માસ્ક એનાયત કરવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ ઝોનના આરોગ્ય નિરીક્ષક એ.બી.સોલંકીના જણાવ્યા પ્રમાણે અનલોક પછી લોકો બેફિકર થયેલા દેખાય છે. કોરોનાના કેસો ઘટતા લોકો કોરોનાના ડરથી ચિંતામુકત થઈ ગયા છે. ત્યારે ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકોએ કોરોનાથી સલામત રહેવા જાગૃત રહેવાની જરૂર છે. અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સખત જરૂર છે.

આપણે જાણીએ છીએ તેમ કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં કોરોના વધુ આક્રમક બન્યો હતો. ત્યારે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે જો લોકો આવી ભૂલો કરશે, ભીડ ભેગી થશે, સોશિયલ ડિસ્ટનસિંગ ભુલાશે, માસ્કનો નિયમ નહિ પળાશે તો ત્રીજી લહેરને લાવવા માટે જવાબદાર બીજું કોઈ નહિ પણ આપણે જ હોઈશું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">