Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે

કોરોનાના સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:18 PM

કોરોના (Corona) મહામારી દરમ્યાન સુરત મહાનગરપાલિકા (SMC) માટે આર્શીવાદ રૂપ સાબિત થયેલ ધન્વંતરી રથ હવે આવતીકાલથી એટલે કે મંગળવારથી ભૂતકાળ બનશે. સુરત શહેરમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે હવે વહીવટી તંત્ર દ્વારા હાલના તબક્કે ધન્વંતરી રથ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલના તબક્કે રોજીંદા પાંચ – દસ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં દોડાવવામાં આવી રહેલા 80 ધન્વંતરી રથોને આવતીકાલથી બંધ કરવામાં આવશે.

કોરોના મહામારીના પ્રારંભ સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ઠેર-ઠેર ટેસ્ટીંગ માટે ધન્વંતરી રથો દોડાવવામાં આવ્યા હતા. એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ 226 જેટલા ધન્વંતરી રથો શરૂ કરવામાં આવ્યા હતા. જે સંખ્યા હાલ ઘટાડીને 80 સુધી કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ઔપચારિક સાબિત થઈ રહેલા ધન્વંતરી રથો પણ બંધ કરવામાં આવશે.

ટેસ્ટીંગ માટે હેલ્થ સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ રહેશે

કોરોનાના સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

1,700 કરાર પરના કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાને રાખીને છેલ્લા પોણા બે વર્ષથી તબક્કાવાર ડોક્ટર, નર્સ, લેબ ટેક્નીશિયન સહિત 1,700 જેટલા કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. જો કે, આજે આ તમામ કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ હોવાને કારણે આવતીકાલથી આ કર્મચારીઓને પણ છુટા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ – અલગ ટીમો દ્વારા સઘન તપાસ ઝુંબેશ

સુરત શહેર – જિલ્લામાં કોરોના મહામારીમાંથી માંડ માંડ રાહત મળી છે ત્યારે હવે બર્ડ ફ્લૂની દહેશતને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. મહારાષ્ટ્ર અને રાજ્યના છેવાડાના વિસ્તારોમાં બર્ડ ફ્લુના શંકાસ્પદ કેસો જોવા મળતાં આજે સવારથી જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા અલગ – અલગ તાલુકાઓમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ સહિતના સ્થળે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ukraine-Russia War Effect : રફ ડાયમંડના ભાવ 10% વધ્યા, યાર્ન પણ 2 થી 3 રૂપિયા મોંઘુ

આ પણ વાંચો : Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">