Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે

કોરોનાના સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:18 PM

કોરોના (Corona) મહામારી દરમ્યાન સુરત મહાનગરપાલિકા (SMC) માટે આર્શીવાદ રૂપ સાબિત થયેલ ધન્વંતરી રથ હવે આવતીકાલથી એટલે કે મંગળવારથી ભૂતકાળ બનશે. સુરત શહેરમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે હવે વહીવટી તંત્ર દ્વારા હાલના તબક્કે ધન્વંતરી રથ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલના તબક્કે રોજીંદા પાંચ – દસ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં દોડાવવામાં આવી રહેલા 80 ધન્વંતરી રથોને આવતીકાલથી બંધ કરવામાં આવશે.

કોરોના મહામારીના પ્રારંભ સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ઠેર-ઠેર ટેસ્ટીંગ માટે ધન્વંતરી રથો દોડાવવામાં આવ્યા હતા. એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ 226 જેટલા ધન્વંતરી રથો શરૂ કરવામાં આવ્યા હતા. જે સંખ્યા હાલ ઘટાડીને 80 સુધી કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ઔપચારિક સાબિત થઈ રહેલા ધન્વંતરી રથો પણ બંધ કરવામાં આવશે.

ટેસ્ટીંગ માટે હેલ્થ સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ રહેશે

કોરોનાના સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1,700 કરાર પરના કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાને રાખીને છેલ્લા પોણા બે વર્ષથી તબક્કાવાર ડોક્ટર, નર્સ, લેબ ટેક્નીશિયન સહિત 1,700 જેટલા કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. જો કે, આજે આ તમામ કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ હોવાને કારણે આવતીકાલથી આ કર્મચારીઓને પણ છુટા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ – અલગ ટીમો દ્વારા સઘન તપાસ ઝુંબેશ

સુરત શહેર – જિલ્લામાં કોરોના મહામારીમાંથી માંડ માંડ રાહત મળી છે ત્યારે હવે બર્ડ ફ્લૂની દહેશતને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. મહારાષ્ટ્ર અને રાજ્યના છેવાડાના વિસ્તારોમાં બર્ડ ફ્લુના શંકાસ્પદ કેસો જોવા મળતાં આજે સવારથી જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા અલગ – અલગ તાલુકાઓમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ સહિતના સ્થળે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ukraine-Russia War Effect : રફ ડાયમંડના ભાવ 10% વધ્યા, યાર્ન પણ 2 થી 3 રૂપિયા મોંઘુ

આ પણ વાંચો : Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">