AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો

ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું કે સરકાર તરફથી આદેશ આવતા જ નાના બાળકોને રસી આપવામાં આવશે. 12-15 વર્ષના બાળકોના રસીકરણ માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. જો કે શાળાઓમાં જ રસીકરણ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ 15-18 વર્ષના બાળકોને રસીકરણની કામગીરી પણ શાળાઓમાં કરવામાં આવતી હતી.

Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો
he quantity of corbevax vaccine for children from 12 to 15 years has reached Surat(FIle Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:15 AM
Share

હવે ગુજરાતમાં(Gujarat )  12-15 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જોતા કોર્બેવેક્સ(Corbevax ) રસીના 3.55 લાખ ડોઝ સુરત આવ્યા છે. ગુજરાતમાં આ રસીનું પ્રથમ કન્સાઈનમેન્ટ હૈદરાબાદથી સુરત (Surat )પહોંચ્યું છે.

એક અઠવાડિયા પહેલા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI), હૈદરાબાદની બાયોલોજિકલ ઇ લિ. દ્વારા ઉત્પાદિત 12 થી 18 વર્ષની વયના કિશોરો માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. હાલમાં, ભારત બાયોટેક કંપનીની કોવેક્સીન 15-18 વર્ષની વયના લોકોને આપવામાં આવી રહી છે.

લહાલમાં, ભારત સરકાર12-15 વર્ષના બાળકોનું રસીકરણ ક્યારે શરૂ થશે તેની માર્ગદર્શિકા બહાર પાડી નથી. માર્ગદર્શિકા જાહેર થતાં જ રસીકરણ શરૂ કરવામાં આવશે. નોંધનીય વાત એ છે કે, ત્રીજી લહેરમાં, કોરોના રસી લોકો માટે રક્ષણાત્મક કવચ સાબિત થઈ છે. રસીના કારણે ચેપગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં દાખલ થવા અને કોરોનાને કારણે થતા મૃત્યુ પર અંકુશ આવી ગયો છે.

કોર્બેવેક્સ સિવિલમાં રાખવામાં આવી છે

–બંને ડોઝ 28 દિવસમાં લેવાના હોય છે. –રસી 2 થી 8 ડિગ્રી સેલ્સિયમ પર સંગ્રહિત થાય છે. –આ સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત પ્રોટીન આધારિત રસી છે. –15 થી 18 વર્ષના બાળકોને હવે કોવેક્સિન આપવામાં આવી રહી છે. Corbavex સુરતની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

શહેરમાં 12-15 વર્ષની વયજૂથના 2 લાખ બાળકો હશે

જો શહેરમાં 12-15 વર્ષની વયના બાળકોની વાત કરીએ તો આ સંખ્યા લગભગ 1 લાખ 95 હજારથી લગભગ 2 લાખ છે. જો કે સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના બાળકોને પણ 3.5 લાખ ડોઝથી રસી આપી શકાશે. કારણ કે આ બધા મળીને લગભગ 4 લાખ બાળકોને રસી માટે એલિજેબલ છે. Corbevax રસીની એક્સપાયરી ડેટ ઓક્ટોબર 2022 સુધી છે. પહેલાની જેમ શાળાઓમાં બાળકોને કોર્બેવેક્સ રસી આપવામાં આવશે.

રસીકરણ ક્યારે શરૂ થશે?

હજી તે માટે માર્ગદર્શિકા આવવાની બાકી છે. જો કે, ઘણા રાજ્યોએ કોર્બેવેક્સ રસીના કન્સાઇનમેન્ટનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની જેમ આ રસીના કન્સાઇનમેન્ટનો ઓર્ડર અને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી માર્ગદર્શિકા મળતાં જ નાના બાળકોને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું કે સરકાર તરફથી આદેશ આવતા જ નાના બાળકોને રસી આપવામાં આવશે. 12-15 વર્ષના બાળકોના રસીકરણ માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. જો કે શાળાઓમાં જ રસીકરણ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ 15-18 વર્ષના બાળકોને રસીકરણની કામગીરી પણ શાળાઓમાં કરવામાં આવતી હતી.

પ્રોટીન આધારિત કોર્બેવેક્સ રસી વાયરસ પર કેવી રીતે કામ કરે છે?

15 થી 18 વર્ષની વયના 91% બાળકોને હવે રસી આપવામાં આવી છે કોર્બેવેક્સ એ સ્વદેશમાં વિકસિત પ્રથમ પ્રોટીન આધારિત રસી છે. પ્રોટીન-આધારિત રસીનો અર્થ એ છે કે તે વાયરસના એક ભાગનો ઉપયોગ કરીનેરોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કરે છે. કંપનીએ આ રસીના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 80% સુધી અસરકારક હોવાનો દાવો કર્યો છે. આ રસીમાં કોરોના વાયરસના ‘S’ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ‘S’ પ્રોટીન રસી દ્વારા શરીરમાં પ્રવેશતાની સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય છે.

શહેરમાં 15 થી 18 વર્ષની વયજૂથના રસીકરણ કરાયેલા બાળકોની સંખ્યા 2 લાખની નજીક છે. તેમાંથી 1 લાખ 81 હજાર બાળકોને રસી આપવામાં આવી છે. જે લગભગ 91 ટકા છે. અત્યારે આ બાળકોને રસી આપવામાં આવી રહી છે. તેમનું રસીકરણ કાર્ય 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

આ પણ વાંચો- ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”

આ પણ વાંચો- Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">