AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના ખોખરામાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું
Prime Minister Narendra Modi unveiled the 108-foot-tall statue in Morbi via video conferencing
| Updated on: Apr 16, 2022 | 12:13 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ મોરબી (Morabi) ના ખોખરામાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ (video conferencing)  દ્વારા જોડાયા હતા. દેશમાં આવી ચાર દિશામાં ચાર પ્રતિમા સ્થાપવાની છે. જે અંતર્ગત પહેલી પ્રતિમા શિમલામાં સ્થપાઈ છે અને પશ્ચિમ દિશામાં ગુજરાતમાં આજે આ બીજી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. હજુ બાકીની પ્રતિમાઓ દક્ષિણ ભારતમાં રામેશ્વરમ, અને પશ્ચિમ બંગાળમાં એક પ્રતિમા સ્થાપિત કરાશે.

વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ધરતી એ સંતો અને સુરાની ધરતી છે તે આપણા દેશની એક આગવી ઓળખ ધરાવે છે. આ સ્થાન સાથે મારો કર્મનો નાતો રહ્યો છે. વર્ષો પહેલાં જ્યારે મોરબી આવવાનું થતું ત્યારે હનુમાનધામ આવતા હતા અને બાપુ પાસેથી પ્રસાદ લેતા હતા. મચ્છુ ડેમ દુર્ઘટના વખતે આ આશ્રમે ખુબ જ સેવા કાર્ય કર્યું હતું અને તે સમયથી હું આ આશ્રમના સંપર્કમાં છું.

આફતને અવસરમાં બદલવાની તાકાત ગુજરાતીઓમાં છે. મચ્છુ ડેમ દર્ઘટના પહેલાં અહીં ઇંટોના ભઠ્ઠા સીવાય કશું નહોતું પણ અત્યારે મોરબીએ ઘડિયાળ અને સીરામિક ઉદ્યાગને કારણે દુનિયામાં સ્થાન મેળવ્યું છે. મોરબી, રાજકોટ અને જામનગરનું એક ત્રિકોણ રચાયું છે. જે સૌરાષ્ટ્રના જાપાન તરીકે ઓળખાય છે. આ ક્ષેત્ર અત્યારે મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ફરીથી ટુરિઝમના વિકાસ માટે ભાગીદાર બનવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં શ્રદ્ધાનું કામ દરેક સ્થળે ચાલતું જ હોય છે. દાતાઓની કોઈ કમી નથી, અત્યારે કાઠિવાડ એ ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારાને કારણે પણ પ્રવાસીઓ વધુ આવે છે. રણોત્સવને કારણે કચ્છ ધમધમતું થયું તનો લાભ પણ મોરબીને મળ્યો છે. મોરબી પાસે ઘણી બધી હોટલો બની ગઈ છે. ગિરનાર પર રોપવે બનાવાયો છે જેનાથી વડીલો પણ ગિરનાર પર દર્શન કરવા જઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે પ્રવાસનમાં શ્રદ્ધાની સાથે આર્તિક પ્રવૃતિ પણ થાય છે. અત્યારે આપણે દુનિયાભરમાં પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છીએ. વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે આપણે સ્વચ્છતા માટે કામ કરવું પડશે. તમામ તિર્થસ્થાન પર સ્વચ્છતા રાખવી જરૂરી છે.

તેમણે કહ્યું કે આપણે હવે આગળ વધ્યા વિના છુટકો નથી. આપણે આત્મ નિર્ભર થવું જ પડશે, વોકલ ફોર લોકલ, અને ભારતના પૈસે, ભારતના માણસોએ બનાવેલી વસ્તુ જ વાપરવા આગ્રહ રાખવો જોઈએ, આપણ સંતો પણ જો ભારતમાં જ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરે તો પણ દેશનો વિકાસ થઈ જાય.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે ભક્તોની ભીડ જામી, જયઅંબેનાં નાદથી મંદિર ગુંજ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">