AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા
SMC Preparation For Precaution dose (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 02, 2022 | 5:28 PM
Share

સુરતમાં(Surat)10 જાન્યુઆરી 2022થી 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ તથા હેલ્થ કર્મચારીઓ(Health Workers)સહિત કોરોના વોરિયર્સની(Corona Warriors)કેટેગરીમાં આવનાર લોકોને પ્રિકોશન ડોઝ ((Precaution dose)) આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

જેમાં સુરત મનપા દ્વારા આ કેટેગરીમાં આવતાં લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે . બીજો ડોઝ લીધા બાદ 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં લોકોને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે .

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેમને અપાશે ડોઝ

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં 44,435 લોકો 10 જાન્યુઆરીએ પ્રિકોશન ડોઝ લેવા માટે યોગ્યતા પ્રાપ્ત થશે . જેમાં રોજ વધારો – ઘટાડો થઇ શકે છે.નોંધનીય છે કે વેકસિન લીધા બાદ પણ લોકો હવે કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે, તેવામાં આવા લોકોને પણ સંક્રમણથી બચાવવા માટે બુસ્ટર ડોઝ મળે તે જરૂરી છે. જેથી હવે ફરી એકવાર વેકસીનની આ સાઇકલ બુસ્ટર ડોઝ માટે ફેરવવામાં આવશે.

અને હવે તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી

કોરોનાના કેસોની સંખ્યામાં રોજબરોજ બમણી ગતિથી વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધારવામાં આવી છે. હાલ શહેરમાં 264 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે જેમાં 6159 ઘરના 23,500 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.

સુરતમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનના નોંધાયા છે, ત્યારે અઠવા ઝોનમાં 149 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 3709 ઘરનો સમાવેશ, જ્યારે રાંદેર ઝોનમાં 56 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 1027 ઘરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : VADODARA : કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની વધુ એક બેદરકારી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :  Corona: ગુજરાતમાં આગામી 30 દિવસમાં સ્થિતિ વધુ ચિંતાજનક થશે, AHNAએ આપી ચેતવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">