Surat: શરૂ કરાઈ હરતી ફરતી શાળા, અંતરિયાળ ગામડામાં રહેતા બાળકોને આપશે અક્ષરજ્ઞાન

એક હરતી ફરતી શાળા કે જે કામરેજ તાલુકાના ગામડામાં રહેતા વંચિત જૂથના બાળકોના ઘરે જઈને અક્ષરજ્ઞાન આપશે. આ બસમાં જ બાળકો બેસીને ભણી શકશે. બસમાં કલાસ રૂમના જેવી જ સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat: શરૂ કરાઈ હરતી ફરતી શાળા, અંતરિયાળ ગામડામાં રહેતા બાળકોને આપશે અક્ષરજ્ઞાન
Mobile school started in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:35 PM

Surat: અત્યાર સુધી તમે હરતું ફરતું દવાખાનું(hospital ) અને ફરતી લાયબ્રેરી(library) જોઈ હતી, પરંતુ સુરતમાં તો હરતી ફરતી શાળા(school) ચાલી રહી છે. આ હરતી ફરતી શાળા એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી છે, જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી. જીહાં સુરત ગ્રામ્ય વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો કે જેઓ અભ્યાસથી વંચિત છે તેમને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુ સાથે શરૂ કરવામાં આવી છે આ પેનડેમીક પાઠશાળા એટલે કે વિદ્યારથ.

એક હરતી ફરતી શાળા કે જે કામરેજ તાલુકાના ગામડામાં રહેતા વંચિત જૂથના બાળકોના ઘરે જઈને અક્ષરજ્ઞાન આપશે. આ બસમાં જ બાળકો બેસીને ભણી શકશે. બસમાં કલાસ રૂમના જેવી જ સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસની અંદર એક ક્લાસરૂમમાં હોય તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને શાળાની કમીનો અહેસાસ ન થાય.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શું છે આ વિદ્યારથની ખાસિયતો?

બસની અંદર સ્માર્ટ ટીવી અને રોલપ બોર્ડ પણ રાખવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી, સેનેટાઈઝર, થર્મલ ગન અને માસ્કની વ્યસ્થા સાથે બાળકોને દફતર પણ આપવામાં આવ્યું છે. જેમાં સ્લેટ પેન, Drawing બુક, પેન્સિલ શાર્પનર, ઈરેઝર, કંપાસ બોક્સ અને વર્ક શીટ આપવામાં આવી છે.

આ બસને શરૂ કરવા પાછળ સુરતના શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.દીપક રાજ્યગુરુનો મુખ્ય વિચાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રયોગ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે. ગરીબ અને અભ્યાસથી વંચિત ધો.1 અને 2ના બાળકો કે જે હાલની કોરોનાની પરિસ્થિતિમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શક્યા નથી, તેવા બાળકોને તેમના જ ગામમાં આ વિદ્યારથ પહોંચીને 2 કલાક સુધી શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડી આનંદદાયી પ્રવૃતિઓમાં જોડશે.

હાલ જ્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે વાલીઓ હજુ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા તૈયાર નથી. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી છે. ખાસ કરીને ગામડાઓમાં તેમજ છેવાડાના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓના ભણતર કોરોનાના કારણે બગડ્યું છે. ત્યારે સુરતમાં શરૂ થયેલા આ નવતર પ્રયોગ આવનારા દિવસોમાં અન્ય લોકોને અને સરકારને પ્રેરણા રૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Surat : કૃષ્ણ જન્મોત્સવને વધાવવા આ વખતે હિંચકાની સાથે ગાદીની પણ ભારે ડિમાન્ડ

આ પણ વાંચો: Gujarat સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારી નોકરી આપી : સીએમ રૂપાણી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">