AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મેડિકલની વિદ્યાર્થિનીએ પરીક્ષામાં ATKT આવ્યા બાદ કર્યો આપઘાત, ‘ગેમ ઓવર’ લખેલી ટી-શર્ટ પહેરી જીવન ટુંકાવ્યું

Surat News : 19 ડિસેમ્બરના રોજ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Surat: મેડિકલની વિદ્યાર્થિનીએ પરીક્ષામાં ATKT આવ્યા બાદ કર્યો આપઘાત, 'ગેમ ઓવર' લખેલી ટી-શર્ટ પહેરી જીવન ટુંકાવ્યું
પરીક્ષામાં ATKT આવ્યા બાદ વિદ્યાર્થિનીનો આપઘાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 1:16 PM
Share

સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી છે. જહાંગીરપુરા વિસ્તારમાં તબીબી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જાનવી પટેલ નામની વિદ્યાર્થિનીએ ‘ગેમ ઓવર’ લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરીક્ષામાં ATKT આવતા માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા છે. કિમની કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં મૃતક વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

તબીબી વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ફાંસો ખાધો

19 ડિસેમ્બરના રોજ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે જ્યારે ઘરમાં કોઇ હતુ નહીં ત્યારે આ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. પરિવાર ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થિનીને નજીકના હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ જ તેનું મોત થઇ ગયુ હતુ. ત્યારે હવે વિદ્યાર્થિનીના મોત બાદ માત્ર તેના પરિવાર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ શોક ફેલાઇ ગયો છે.

પરીક્ષામાં ATKT આવતા આપઘાતની આશંકા

મહત્વની વાત એ છે કે વિદ્યાર્થિનીએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેની ટીશર્ટ પર ‘ગેમ ઓવર’ લખેલુ હતુ. એટલે જાણે કે એક સંદેશો આપીને આપઘાત કર્યો છે. સુરતના કીમ નજીક આવેલી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યુ. પરંતુ પરીક્ષામાં ATKT આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે. જેથી હાલમાં જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(વિથ ઇનપુટ-બળદેવ સુથાર, સુરત)

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">