Mandvi: ઝંખવાવ રોડ પર પડેલા ખાડામાં કોંગ્રેસે કમળના છોડ વાવ્યા, કહ્યું આ ખાડા શાસકોને અર્પણ

કોંગ્રેસના (Congress )આગેવાનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. અને જણાવવામાં આવ્યું હતું કે જો રસ્તાના ખાડાનો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો અમે તેનો હજી પણ ઉગ્ર વિરોધ કરીશું. 

Mandvi: ઝંખવાવ રોડ પર પડેલા ખાડામાં કોંગ્રેસે કમળના છોડ વાવ્યા, કહ્યું આ ખાડા શાસકોને અર્પણ
Mandvi Jhankhvav Road (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 1:24 PM

માંડવી (Mandvi) તાલુકામાં બિસ્માર થયેલા રસ્તાઓ (Roads) બાબતે માંડવી કોંગ્રેસ (Congress) દ્વારા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય આનંદ ચૌધરી કાર્યકરો સાથે હાજર રહીને ખાડા પડેલ જગ્યાએ કમળ ના છોડ મૂકી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે. સુરત જિલ્લામાં ફરી એકવાર ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગામડાના માર્ગો પર તેની માઠી અસર થઈ છે.

તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તાર ગણાતા સુરત જિલ્લાના માંડવી ઝંખવાવ રોડ પર અનેક જગ્યાએ ખાડાથી રસ્તા બિસમાર થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત ખાડા જ ખાડા નજરે ચડી રહ્યા છે. જેથી વાહનચાલકો અને વાહન વ્યવહારને ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેથી કોંગ્રેસ દ્વારા જે માર્ગો પર પાણીનો ભરાવો થયો છે અને ખાડા પડ્યા છે. ત્યાં કમળનું છોડ વાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરાયાની ફરિયાદો પણ કરી હતી. વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને કારણે જ રસ્તાની આ હાલત થાય છે અને ભોગવવાનું લોકોને પડે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. છતાં સારા રસ્તા બનાવવાની દાનત શાસકોમાં આજદિન સુધી આવી નથી. જેના કારણે આજે અમે આ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પણ શાસકોને અર્પણ કરીએ છીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ નવા માર્ગ, બ્રિજ કે પ્રોજેક્ટનું લોકાર્પણ થાય ત્યારે તેને કોઈનું નામ આપવામાં આવે છે. ત્યારે આ ખાડા પડવા પાછળનો મોટો સિંહ ફાળો શાસકોને નામ જાય છે અને એટલા માટે અમે અહીં કમળનું ફૂલ મૂકી રહ્યા છે.

જોકે આ કાર્યક્રમને ફક્ત વિરોધ પ્રદર્શન તરીકે નહીં જોઈને તેને ગંભીરતાથી લેવાની ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જો રસ્તાના ખાડાનો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો અમે તેનો હજી પણ ઉગ્ર વિરોધ કરીશું.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">