AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતીઓ માટે સારા સમાચાર, ભારતીય રેલ્વેએ 30 સપ્ટેમ્બરથી સુરત ખાતે નવી ટ્રેન રોકવાની કરી જાહેરાત

ઉત્તર રેલવેએ સુરત સ્ટેશન પર હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનને રોકવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનને છ મહિનાના પ્રાયોગિક સમયગાળા માટે બંને દિશામાં સ્ટોપેજ આપવામાં આવશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને લાભ થશે.

સુરતીઓ માટે સારા સમાચાર, ભારતીય રેલ્વેએ 30 સપ્ટેમ્બરથી સુરત ખાતે નવી ટ્રેન રોકવાની કરી જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 11:38 PM
Share

રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ સુરત સ્ટેશન પર હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનને સુરત સ્ટેશન પર રોકવાનો એટલે કે સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનને છ મહિનાના પ્રાયોગિક સમયગાળા માટે બંને દિશામાં સ્ટોપેજ આપવામાં આવશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને લાભ થશે.

દેશભરમાં કોરોના વાઈરસના કેસ ઘટી રહ્યા હોવાથી ભારતીય રેલવેએ મહત્વના શહેરોને જોડતી અનેક અનામત અને અનામત મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. જો કે ગુજરાતના ટેક્સટાઈલ સિટી સુરતમાં માત્ર કેટલીક ટ્રેનો રોકાતી હતી.

માત્ર મર્યાદિત સંખ્યામાં ટ્રેનોની ઉપલબ્ધતાને કારણે લોકોને સુરત આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. મંગળવારે ભારતીય રેલવેએ તેની કેટલીક ખાસ ટ્રેનોને સુરત રેલવે સ્ટેશન પર રોકવાની જાહેરાત કરી હતી. જેમાં હવે દિલ્હી અને કેરળ વચ્ચે દોડતી હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ સ્પેશિયલ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર રોકવામાં આવશે એવી જાહેરાત પણ થઈ હતી.

ભારતીય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી અમે જોઈ રહ્યા હતા કે મોટી સંખ્યામાં લોકો સુરત અથવા શહેરથી દેશના અન્ય ભાગોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરી રહ્યા છે. લોકોની સુવિધા માટે અને ટ્રેનોમાં કોવિડ -19 અંતર્ગત નિયમોનું પાલન થઈ શકે તે માટે ભારતીય રેલવેએ સુરતમાં કેટલીક ટ્રેનોને સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.

કઈ ટ્રેન કેટલા વાગે સ્ટેશન પર પહોંચશે?

ઉત્તર રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 02283/02284 હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન 30 સપ્ટેમ્બરથી આગામી છ મહિના સુધી સુરત સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે રોકાશે.

ટ્રેન નંબર 02283 એર્નાકુલમ – હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ  સવારે 02.57 કલાકે સુરત પહોંચશે અને ટ્રેન નંબર 02284 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ સ્પેશિયલ સવારે 11.25 કલાકે સુરત પહોંચશે. બંને ટ્રેનો સુરત રેલવે સ્ટેશન પર ત્રણ -ત્રણ મિનિટ રોકાશે.

શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?

જો કે ઘણા લોકોનું માનવું છે કે આ નિર્ણય એટલા માટે આવ્યો છે કારણ કે સુરત એક બિઝનેસ હબ છે અને શહેરના ઘણા હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓ શહેરને જોડતી ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ કરી રહ્યા છે. વેપારીઓએ ફરિયાદ કરી હતી કે શહેરમાં ટ્રેનોની સંખ્યા ઓછી હોવાને કારણે તેમના દૈનિક વ્યવસાય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.

એક વ્યાપારી દ્વારા જાણવા મળ્યું હતું કે રોજ મોટી સંખ્યામાં લોકો કામ કરવા માટે સુરત આવે છે. આ લોકો ટ્રેનો દ્વારા શહેરમાં આવે છે. સિટી રેલવે સ્ટેશન પર ઘણી ઓછી ટ્રેનો રોકાઈ રહી હોવાથી અમને પુરતા પ્રમાણમાં કામદારો મળી રહ્યા ન હતા, જેથી તેની અસર વ્યવસાય પર પડી રહી હતી.

બીજું મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે સુરત શહેર સાડી અને કપડાંના મોટા હબ તરીકે ઓળખાય છે. કાપડ ઉદ્યોગની સાથે હીરાના કટિંગ અને પોલિશિંગ માટે પણ તેની એક અલગ ઓળખ છે. આથી આ શહેર સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે. આ શહેરમાં દિલ્હી અને કેરળથી મોટી સંખ્યામાં વેપારીઓની અવરજવર રહેતી હોય છે. જેમને આ ટ્રેનના રોકાણથી લાભ થશે.

આ પણ વાંચો :  Maharashtra: વરસાદે મચાવ્યો કહેર, 22 લાખ હેક્ટરમાં વાવેલા પાકનો થયો નાશ, મુખ્યપ્રધાને ખેડૂતોને ધીરજ રાખવા કહીને આપ્યું આશ્વાશન

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">