AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સુરત જિલ્લાની 13 ગ્રામ પંચાયતોમાં સરપંચ નહીં, વહીવટદાર હશે

જિલ્લા પંચાયત (Panchayat) આ મામલે વહીવટદારની નિમણૂંક માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. અગાઉથી જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બનવા લોકો જાગૃત છે એવા લોકોના ઓરતા પણ હાલ પૂરતા અધૂરા રહી ગયા છે.

Surat: સુરત જિલ્લાની 13 ગ્રામ પંચાયતોમાં સરપંચ નહીં, વહીવટદાર હશે
Surat Jilla Panchayat Office (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:50 PM
Share

ગુજરાત(Gujarat ) વિધાનસભાની ચૂંટણી (Election) ગાજતી હોવાથી અને સંભવતઃ ડિસેમ્બર (December) માસમાં ચૂંટણી યોજવા માટે રાજ્યનું ચૂંટણીતંત્ર વિધાનસભાની ચૂંટણી માટેની કામગીરીમાં પરોવાઇ જતા ચાલુ મહિને એપ્રિલમાં સુરત જિલ્લાના ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાની 13 ગ્રામપંચાયતના સરપંચ તથા સભ્યોની મુદત પૂર્ણ થતી હતી. પરંતુ ચૂંટણી જાહેર નહીં થતાં આ તમામ સ્થળે નવાગામ સુકાનીને બદલે વહીવટદારની નિમણુંક માટે જીલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપી છે.

જિલ્લા પંચાયતના સૂત્રોથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ જિલ્લાની માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાની 13 ગ્રામ પંચાયતોની ચાલુ એપ્રિલ માસમાં મુદત પૂરી થઈ રહી છે. જેથી આ 13 ગામોના નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો માટેનું ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઇએ, પરંતુ તે જાહેરનામું બહાર ન પડતા ખુદ સુરત જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ મૂંઝવણમાં મૂકાયું હતું.

જિલ્લા પંચાયત સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણનીના નિયમો પ્રમાણે મુદ્દત પુરી થાય એ પહેલા દોઢ મહિના અગાઉ જાહેરનામું બહાર પડી જવી જોઈએ. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેરનામું બહાર પડે, સાથે સાથે ગ્રામપંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્યોના રોટેશન પણ જાહેર થતા હોય છે. પરંતુ હવે તો ચાલુ મહિને ઉપરોક્ત 13 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થાય છે છતાં કોઈ પ્રક્રિયા આરંભાઇ નથી.

આ ઉપરાંત મે માસમાં અન્ય 7 ગ્રામ પંચાયતોની પણ મુદત પૂરી થાય છે. ગ્રામપંચાયતોની મુદત પૂરી થતી હોવાની સુચના કે જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી અથવા તો કોઇ નિર્દેશ ન મળે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી શરૂ થતી નથી અને ચૂંટણી જાહેર ન થાય તો ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવી પડે.

રાજ્ય ચૂંટણી આયોગના કોઇ નિર્દેશ નહીં મળવાને કારણે 13 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ નસીબ નહીં થાય, અને જિલ્લા પંચાયત આ મામલે વહીવટદારની નિમણૂંક માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. અગાઉથી જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બનવા લોકો જાગૃત છે એવા લોકોના ઓરતા પણ હાલ પૂરતા અધૂરા રહી ગયા છે. એક સાથે 13 ગ્રામ પંચાયતમાં સામૂહિક ધોરણે વહીવટદારની નિમણૂક કરવી પડશે અને વધુમાં આગામી મે માસમાં 7 ગ્રામ પંચાયતની મુદત પૂરી થાય છે તેનું શું થાય છે તે હાલ કહેવું ખૂબ જ વહેલું ગણી શકાશે.

આ પણ વાંચો :

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">