AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો

નવી સિવિલ હોસ્પિટલ (New civil Hospital) ખાતે હડતાળ (Strike) પર ઉતરેલા ડોકટરોએ ત્રીજા દિવસે એટલે કે આજે સવારે નવી મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. પોઝિટીવીટીનું વાતાવરણ આવે, પ્રશ્નોનો ઉકેલ આવે અને દર્દીઓને તકલીફ નહીં થાય તે હેતુથી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો
Doctors staged protest by organize 'Satyanarayana katha'
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 06, 2022 | 3:47 PM
Share

જુદી જુદી પડતર માંગણીઓને લઈને રાજ્યભરમાં ડોકટર્સ હડતાળ (Doctors strike) પર ઉતરી ગયા છે. ડોકટરોની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે ત્રીજો દિવસ હતો. હડતાળના ત્રીજા દિવસે સુરત (Surat) ની નવી સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ડોકટરોએ અલગ રીતે વિરોધ દર્શાવ્યો હતો. તબીબોએ ભેગા મળીને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. તેમજ પીપીઈ કીટ પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ પોતાની માગણીઓ સરકાર પુરી કરે તેવી માગ કરી હતી.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરેલા ડોકટરોએ ત્રીજા દિવસે એટલે કે આજે સવારે નવી મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. પોઝિટીવીટીનું વાતાવરણ આવે, પ્રશ્નોનો ઉકેલ આવે અને દર્દીઓને તકલીફ નહીં થાય તે હેતુથી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ડોકટરોએ પીપીઈ કીટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ડોકટરોનું કહેવું હતું કોરોના વોરિયર્સનું પહેલા સન્માન કરવામાં આવ્યું અને હવે પ્રશ્નોનો ઉકેલાતા નહીં.

મનોચિકિત્સક ડો.કમલેશ દવે જણાવ્યું હતું કે આવતીકાલે સાયકલ રેલી યોજવામાં આવશે, તેમજ ઓર્ગન ડૉનેશનની પ્લેજ લઈ જાગૃતિ ફેલાવવામાં આવશે. વધુમાં ડોકટરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમની માગણીઓ પડતર છે. અગાઉ સરકાર દ્વારા જીઆર પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું, છતાં આજદિન સુધી તેનો અમલ કરવામાં આવતો નથી. તેમની સાથે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પુરા કરાયા નથી. જેના પગલે તેમને હડતાળનું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે.

વધુમાં ડોકટરોએ એવું પણ કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષાશે નહીં અથવા સંતોષકારક જવાબો નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે, બીજી તરફ જે રીતે ડોકટરોની હડતાળ આગળ વધી રહી છે તેમ તેમ હવે હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થવા લાગી છે. હાલમાં જુનિયર ડોકટર્સે કમાન સાચવેલી છે, જોકે હોસ્પિટલમાં ઠેર-ઠેર દર્દીઓની લાંબી કતારો અને ધસારો જોવા મળી રહ્યો છે. ડોકટરોની હડતાળ વહેલી સમેટાશે નહીં તો આગળ સ્થિતિ વધુ કથડવાની શક્તયાઓ છે.

આ પણ વાંચો-

Petrol-Diesel Price Today : ફરી મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા

આ પણ વાંચો-

ગુજરાતમાં આજથી ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">