AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજથી ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે

હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે. કેમકે બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં આજથી ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે
Heat wave (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 1:46 PM
Share

ગુજરાતમાં (Gujarat) આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન (weather) વિભાગે કરેલી હીટવેવ (Heatwave)ની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાછલા એક અઠવાડિયાથી પ્રચંડ ગરમી પડી રહી છે. રાજ્યના 4 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જો કે હવામાન વિભાગના મતે રાજ્યમાં આજે હીટવેવની શક્યતા નહિવત છે.

જેથી ગુજરાતમાં આકરી ગરમી સહન લોકોને આંશિક રાહત મળશે. અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 42 ડિગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત વડોદરા, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ટોર્ચર સતત લોકોને પરેશાન કરી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સૂમસામ બને છે.

ઉનાળાની શરુઆત થઇ ગઇ છે ત્યારે આકરી ગરમી રહેવાની શક્યતા રહેતી હોય છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા લોકોએ કેટલીક કાળજી રાખવી જરૂરી છે. જેથી કરીને ગરમીથી થતી બિમારીઓથી બચી શકાય. ગરમીથી થતી બીમારીઓથી બચવા ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવુ જોઇએ, છાશ, લીંબુ સરબત, ORS પીવુ જોઈએ, નાના બાળકો, સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, વૃદ્ધો બપોરના સમયે બહાર જવાનું ટાળો, આકરી ગરમીમાં બહારનો ખોરાક ખાવો જોઇએ નહીં. તો ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.

આ તો થઈ કાળજીની વાત પરંતુ હવે પછી ગરમી કેવી રહેશે એની પર પણ નજર કરીએ તો હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. એ જોતાં અહીં લોકોએ વધુ સાવચેત રહેવું પડશે. જોકે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે. કેમકે બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચોઃ આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ

આ પણ વાંચોઃ Rajkot: નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇને મોટા સમાચાર, છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">