Suratમાં કોરોનાના કેસો વધ્યા, જિલ્લામાં કુલ 1,048 કેસ એક્ટિવ
Suratમાં કોરોનાના કેસ વધતા મનપાના નવા મેયર ચિંતિત છે, તેમણે લોકોને કોરોનાના નિયમ અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.
Suratમાં કોરોનાના કેસ વધતા મનપાના નવા મેયર ચિંતિત છે, તેમણે લોકોને કોરોનાના નિયમ અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ સુરતના લોકોને રસીકરણનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આપને કહી દઈએ કે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસનો આંક 55,387 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1,138 થયો છે. ગત રોજ 114 લોકોને ડિસ્ચાર્જ અપાતા 53,201 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. શહેર-જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. હાલ શહેર-જિલ્લામાં કુલ 1,048 એક્ટિવ કેસ છે. નવી સિવિલમાં 18 દર્દીઓ પૈકી 8 ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 3 બાઈપેપ અને 4 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 6 ગંભીર પૈકી 3 વેન્ટિલેટર અને 3 ઓક્સિજન પર છે.
આ પણ વાંચો: Rajkotના મેયર પદે પ્રદીપ ડવની વરણી, વિકાસ કાર્યોને વેગ આપવાનો વાયદો
Latest Videos
Latest News