Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone Effect: સુરતમાં વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો, મહિલાને માથાના ભાગે ઈજા

બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો.

Biparjoy Cyclone Effect: સુરતમાં વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો, મહિલાને માથાના ભાગે ઈજા
Biparjoy Cyclone Effect Street light pole falls on biker couple in Surat due to storm woman suffers head injury
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 13, 2023 | 3:26 PM

Biparjoy Cyclone : બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો. થાંભલો બાઈક સવાર દંપતી પર પડતા મહિલાને ઈજા થઈ હતી. જેથી તેણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો :Breaking News Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની, 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા

મહિલા પતિ સાથે જઈ રહી હતી ત્યારે બની દુર્ઘટના

મહિલા પોતાના પતિ સાથે બાઈક પર બેસીને જઈ રહી હતી. તે સમય દરમિયાન વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો. જેથી બાઇકની પાછળ બેઠેલી મહિલાની માથાના ભાગે ઈજા થઈ છે. જેથી મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો

તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાયો

સ્ટ્રીટ લાઈટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો હતો. જેમાં મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વીજ પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને થાંભલો હટાવવાની કામગીરી કરીને રસ્તો ક્લિયર કર્યો હતો.

જામનગરમાં આશરે 100 વર્ષ જુનૂ રેલવે સ્ટેશન તોડી પાડવામાં આવ્યુ

આશરે 100 વર્ષ જુનૂ રેલવે સ્ટેશનને (railway station) તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.

પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી

પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઇ છે. દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">