AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

International yoga day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે આજે ઇતિહાસ રચ્યો છે. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
1.50 lakh people performed yoga
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:27 AM
Share

Surat :  21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day) ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે  છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે (surat) આજે ઇતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગા કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા.

શહેરની શાળા કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, શહેરીજનો તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો અને ગૃહિણીઓ મળી કુલ 1.50 લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.સુરતના વાય જંકશનથી લઈને SVNIT સર્કલ સુધી 1.50 લાખથી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્તત કર્યું હતું. આ પહેલા 1.09 લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ હતો.

આ પણ વાંચો International Yoga Day 2023: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

42 શાળાના 20 હજારથી વધુ બાળકો જોડાયા

સુરતના મગદલ્લા ભાઈ જંકશનથી SVNIT સર્કલ અને બ્રેડલાઈનર સર્કલ સુધી 12 કિલોમીટરના રૂટ પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યોગાભ્યાસમાં ભાગ લેવા માટે 42 શાળાના 20 હજારથી વધુ બાળકો વહેલી સવારથી કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત ગૃહિણીઓ તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો સહિત શહેરના નાના મોટા દરેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદેશી મહેમાનો અને દિવ્યાંગ બાળકોએ પણ યોગા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 125 બ્લોગ બનાવવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્લોગ પર એલઇડી સ્ક્રીન સ્પીકર સહિતની સુવિધા કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">