AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વર્ષે સ્માર્ટ સિટી નેશનલ કોનફરન્સનું યજમાન બનશે સુરત! 100 શહેરોના પ્રતિનિધીઓ આવશે સુરત!

Surat: કેન્દ્રમાંથી સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર સુરત આવ્યા હતા. સ્માર્ટ સિટીની આ વર્ષની નેશનલ કોનફરન્સ માટે યજમાન સુરત શહેર બનશે તે લગભગ નક્કી છે.

આ વર્ષે સ્માર્ટ સિટી નેશનલ કોનફરન્સનું યજમાન બનશે સુરત! 100 શહેરોના પ્રતિનિધીઓ આવશે સુરત!
Surat will host the Smart City National Conference this year
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:58 PM
Share

Surat: કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી (Smart City) મિશન અંતર્ગત દર વર્ષે દેશમાં 100 સ્માર્ટ શહેરોને નેશનલ કોન્ફરન્સનું (Smart City National Conference) આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજનારી નેશનલ કોંફરન્સના આયોજન માટે સુરત (Surat) શહેરની પસંદગી કરી શકાય કે કેમ તે અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્રમાંથી સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર સુરત આવ્યા હતા.

સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે વિવિધ સ્થળોની વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી વેન્યુની પસંદગી કરાઇ નથી. પણ સ્માર્ટ સિટીની આ વર્ષની નેશનલ કોનફરન્સ માટે યજમાન સુરત શહેર બનશે તે લગભગ નક્કી છે.

સુરત શહેરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2022 માં સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સ આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરના વિવિધ 100 સ્માર્ટ શહેરોના 500 જેટલા મહેમાનો સુરતમાં આવશે. જેમાં દરેક શહેરના મેયર, મનપા કમિશનર અને સેક્રેટરી સહિતના લોકો આવશે.

ડિરેક્ટર રાહુલ કપૂરે આ કોનફરન્સ માટે વિવિધ સ્થળો જોયા હતા જેમાં સરસાણા ડોમ, સુરત કિલ્લો, ઉધના ખાતે આવેલ સુરતી આઇલેબ, ફોરેસ્ટ ક્લબ, સાયન્સ સેન્ટર આ સ્થળોની વિઝીટ લીધી હતી. જે પૈકી કોઈપણ એક સ્થળે સ્માર્ટ સીટી નેશનલ કોનફરન્સનું આયોજન કરવામાં આવશે.

સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે. અને કુલ રૂ. 1717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અને કુલ રૂ. 1205 કરોડના 14 પ્રોજેકટની કામગીરી હાલમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">