AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ

સુરત શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકો માટે કોર્બેવેક્સની વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે

Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ
Surat Corona Children Vaccination
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 16, 2022 | 4:31 PM
Share

સુરત(Surat)શહેરમાં 12થી 14 વર્ષના બાળકોના વેક્સીનેશનની(Children Vaccination) કામગીરીનો મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ(Health Department)દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં 125થી વધુ શાળાઓમાં મનપાના સ્ટાફ દ્વારા બાળકોના વેક્સીનેશની કામગીરીને પગલે ભુલકાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અત્યારસુધી સુધી શહેરના અલગ – અલગ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોર્બેવેક્સ વેક્સીનેશનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને સાંજ સુધી સંભવતઃ આ આંકડો 15 હજારને પાર કરી શકે છે.સુરત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાલના તબક્કે મરણપથારીએ પહોંચી ચુકી હોય તેમ સતત એક્ટીવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા આજથી દેશભરમાં 12થી 15 વર્ષના બાળકોના વેક્સીનેશનની કામગીરીની લીલી ઝંડી આપી દેવામાં આવતાં સુરત શહેરમાં પણ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા

આજે શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકો માટે કોર્બેવેક્સની વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા. હૈદ્રાબાદથી સુરત ખાતે 26મી ફેબ્રુઆરીના રોજ પહોંચેલા આ જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે આજથી તબક્કાવાર બાળકોના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરમાં 12થી 14 વર્ષના 1.95 લાખ બાળકો

હાલ સુરત શહેરમાં 12થી 14 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’ એમ્પાવરમેન્ટ રાઇડ-2022નું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો : Gandhinagar: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">