Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર હવે 10 જૂન સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ

મનપા (SMC) કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વર્ષો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.

Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર હવે 10 જૂન સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ
Ring Road Flyover Bridge (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:18 PM

રિંગરોડ (Ringroad )પર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ફૂલાયઓવર(Flyover ) બ્રિજના રીપેરિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. સુરત મહાનગરપાલિકાના (SMC) બ્રિજ સેલ દ્વારા રીપેરિંગની કામગીરી દરમિયાન 9 માર્ચ, 2022થી  8 મે, 2022 સુધી વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો અને આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, પરંતુ નિર્ધારિત સમય દરમિયાન બ્રિજના રીપેરિંગની કામગીરી હજી પૂર્ણ થઇ નથી. પરિણામે મનપા કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી 9 મે 2022 થી 10 જૂન 2022 સુધી સરદાર બ્રિજનો વપરાશ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.

રિંગરોડ ફૂલાયઓવર બ્રિજને રીપેર અને રી-હેબિલિટેશન કરવાની કામગીરી પૈકી સુપર સ્ટ્રક્વર લિફ્ટિંગ સાથે બેરિંગ રીપ્લેસમેન્ટ અને અન્ય આનુષંગિક કાર્યવાહી મનપા દ્વારા શરુ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે છેલ્લાં બે માસથી રિંગરોડ ફલાયઓવર વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે અને આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું. જોકે, હજુ બ્રિજના રીપેરિંગની કામગીરી માટે 1 મહિનાનો સમય લાગી શકે તેમ તેથી મનપા કમિશનરે જાહેરનામાની મુદત 10 જૂન 2022 સુધી લંબાવી છે.

સુરતના રીંગરોડ અને સ્ટેશન , સહારા દરવાજાને જોડતો ફ્લાય ઓવર બ્રિજ સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રિજ છે . આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી આ જગ્યાએ મ્યુનિ.એ વધુ એક મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે , તેની કામગીરી લગભગ પુરી થવા આવી છે . રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના નાના નાના રીપેરીંગ સમયાંતરે મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પંરતુ આ બ્રિજ ઉપર મોટા ભારે વાહનો સતત પસાર થતાં હોવાથી બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવાની તાતી જરૂર ઉભી થઇ હતી. જેના કારણે નવા બ્રિજ બનાવવાની સાથે જુના રિંગરોડ ફ્લાયઓવર બ્રિજની રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મનપા કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વર્ષો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.

પરંતુ હજી જો આ બ્રિજ લાંબો સમય સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે , તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ સમયમર્યાદામ પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે .

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">