Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી

એકતરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને છુટકારો આપવામાં સુરત મહાનગરપાલીકાનું તંત્ર હજી વામણું જ પુરવાર થયું છે. 

Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી
Surat: Surat was flooded due to heavy rains since early morning
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 06, 2021 | 11:44 AM

ચાલુ વર્ષે એવું લાગતું હતું કે ચોમાસુ સારું નહિ જશે. જેને લઈને ધરતીપુત્રોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસુ બરાબરનું જામતા ખેડૂતપુત્રોની સાથે લોકોને પણ મોટી રાહત થઇ છે. સુરતની વાત કરીએ તો આજે સવારથી જ મુશળધાર વરસાદ વરસતા લોકોને ગરમી બફારાથી રાહત મળી છે.

આમ તો ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અને આજે વહેલી સવારથી પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થઇ હતી.

આજે સ્વાર્થી શહેરમાં જે રીતે વરસાદ વરસતો હતો તેને લઈને સુરતના લીંબાયત, પર્વતપાટિયાં, પુણાગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનની બહાર જ ઘુટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થઇ શકવાના કારણે કલાકો સુધી પાણી ભરાઈ રહ્યા હતા. બીજી તરફ લીબાયત વિસ્તારમાં જ પસાર થતી મીઠી ખાડીના પાણી પણ ઉભરાતા ખાડી કિનારે રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલી વાર નથી આ પહેલા પણ જયારે ત્રણ થી ચાર ઇંચ પણ વરસાદ પડે છે તો આ જ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડે છે.

ખાસ કરીને લીંબાયત, ઉધના ઝોન વિસ્તારમાં રહેતા લોકોને પાણી ભરાવાની સમસ્યાને કારણે હેરાન થવાનો વારો આવે છે. સ્થાનિકોની ફરિયાદ રહે છે કે દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે ખાડી ડ્રેજીંગ, ડ્રેનેજ લાઈનની સફાઈ સહિતના કામો કરવામાં આવે છે. પણ નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યાથી તેમને કાયમી છુટકારો મળી શક્યો નથી.

એકતરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને છુટકારો આપવામાં સુરત મહાનગરપાલીકાનું તંત્ર હજી વામણું જ પુરવાર થયું છે.

આ પણ વાંચો :

Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

સુરતથી પ્રથમ ટેક્સટાઈલ પાર્સલ ટ્રેન બિહાર માટે રવાના, હવે માલ સીધો પહોચશે ફેક્ટરીથી દુકાનમાં

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">