Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

મંડપમાં ગણેશજીની પ્રતિમાની પાછળની બાજુ પર ભારતનો મોટો નકશો રાખવામાં આવ્યો છે. તેમજ મંડપની જમણી અને ડાબી બાજુ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા 23 ખેલાડીઓના કટ આઉટ રાખવામાં આવ્યા છે.

Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ
Ganesh Festival
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 1:47 PM

હાલ રંગેચંગે ગણેશ મહોત્સવ (Ganesh Festival) ઉજવાઈ રહ્યો છે. મુંબઈ પછી સુરતમાં આ ઉત્સવને ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ ગણેશ ભક્તો ઉજવી નથી શક્યા, પરંતુ આ વર્ષે સરકારે પરવાનગી આપતા ભક્તોએ ઘર આંગણે સાદાઈથી ગણેશજીની સ્થાપના કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી થીમ બેઇઝડ (Theme) ગણેશજીની સ્થાપના કરવાનો અને ગણપતિના મંડપ તૈયાર કરવાનો ટ્રેન્ડ ખુબ વધી રહ્યો છે. તેમાં પણ કરન્ટ અફેર્સ અને સમાચારોની ઝાંખી ગણેશ ઉત્સવમાં અચૂકથી જોવા મળતી હોય છે. તાજેતરમાં જ કોરોના થીમ, તાઉ તે  વાવાઝોડાની થીમ વગેરે થીમ પર ગણપતિ અને મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા.

ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં ઓલિમ્પિકમાં ભારતે મેળવેલી ઝળહળતી સફળતાને લઈને મંડપની થીમ તૈયાર કરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા મહાકાલ ગ્રુપ દ્વારા ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

આ વર્ષે યોજાયેલી ટોકિયો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં ભારતીય રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. ત્યારે આ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરોની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી મહાકાલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પણ આ વર્ષે ગણેશજીના મંડપની થીમ તદ્દન અલગ રાખવામાં આવી છે.

ગ્રુપના સભ્યોનું કહેવું છે કે તેઓ દેશના ખેલાડીઓને ડેડિકેશન આપવા માટે આ થીમ પસંદ કરી છે. આ માટે તેઓએ મંડપમાં પ્રતિમાની પાછળની બાજુ પર ભારતનો મોટો નકશો રાખવામાં આવ્યો છે. તેમજ મંડપની જમણી અને ડાબી બાજુ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા 23 ખેલાડીઓના કટ આઉટ રાખવામાં આવ્યા છે.

તેઓએ ઉમેર્યું હતું કે આ થીમ તેમને એટલા માટે પસંદ કરી છે કારણ કે દેશના અસલી હીરો આ રમતવીરો જ છે. જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે અને આ થીમ દ્વારા તેઓ આ ખેલાડીઓને અભિનંદન પાઠવવા માંગે છે. જે પણ ગણેશ ભક્તો જોવા આવે તેઓ આ થીમનો મંડપ અને ગણેશજીની પ્રતિમાઓ જોઈને ખુબ ખુશ પણ થાય છે. સાથે સાથે દેશ માટે તેઓ ગૌરવ પણ અનુભવે છે. આમ ગણેશ ભક્તિની સાથે દેશ ભક્તિનો રંગ પણ ગણેશ મહોત્સવમાં જોવા મળે છે.

આ પણ વાંચો :

Surat : ‘વિવનીટ એકઝીબીશન’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો

આ પણ વાંચો :

Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">