AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

એક સામાન્ય ચા વાળાએ સખત મહેનત કરીને પોતાની અને દેશની તકદીર બદલી છે. અને આ જ બતાવવા માટે તેઓએ ઉંધી પેઇન્ટિંગ કરી છે. ઉકાળેલી ચાના દ્રાવણથી પેઇન્ટિંગ બનાવવું ખુબ જ મુશ્કેલ છે.

Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ
Surat: A unique painting of PM Narendra Modi made from a solution of tea
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 11:40 AM
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે દરેક કોઈ પોતાની રીતે તેમને જન્મદિવસની શુભેચ્છા સંદેશો મોકલવા માંગે છે. ક્યાંક સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો ક્યાંક કોઈ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે.

તેવામાં સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની વિશિષ્ટ શુભકામના આપવા માટે સુરતના પેઇન્ટિંગ આર્ટિસ્ટ જિગીષા ચેવલી એ ખાસ પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ મહિલા આર્ટિસ્ટ ચા ના લિકવિડમાંથી નરેન્દ્ર મોદીનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું આ પેઇન્ટિંગ ખાસ છે. કારણ કે તેને સામાન્ય રંગોથી નહીં પણ ચા ના દ્રાવણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. વળી આ ચિત્ર બનાવતી વખતે તેને ઊંધું રાખીને બનાવવામાં આવ્યું છે. જેમાં ચહેરાનો ભાગ નીચેની તરફ છે. પેઇન્ટિંગ બન્યા પછી તેને સીધું કરી નીચે સિગ્નેચર કરવામાં આવી છે.

ઊંધું પેઇન્ટિંગ શા માટે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે એક સામાન્ય ચા વાળાએ સખત મહેનત કરીને પોતાની અને દેશની તકદીર બદલી છે. અને આ જ બતાવવા માટે તેઓએ ઉંધી પેઇન્ટિંગ કરી છે. ઉકાળેલી ચાના દ્રાવણથી પેઇન્ટિંગ બનાવવું ખુબ જ મુશ્કેલ છે. કારણ કે તેમાં લીકવીડ નીચે સરી પડતું હોય છે.

આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાની ઉંધી પેઇન્ટિંગ કરવી ખુબ મુશ્કેલ પણ હતી. જોકે આર્ટિસ્ટ દ્વારા મહેનત અને ખંતથી આ બાબતે કામ લીધું છે. જોકે ઘણી પ્રેક્ટિસ કર્યા બાદ તેમના દ્વારા ફક્ત 25 મિનિટમાં આ ચિત્ર તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

જોકે જયારે ચિત્ર બનીને તૈયાર થયું ત્યારે તે ખુબ સુંદર દેખાય છે. આમ અત્યારસુધી તમે રંગો કે પેન્સિલના સ્કેચથી બનેલા ચિત્રો તો ઘણા જોયા હશે. પણ ચા ના દ્રાવણથી બનેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ચિત્ર પણ ઘણું ખાસ છે. ઘણા લોકો આ પેઈન્ટિંગને નિહાળવા આવી રહ્યા છે અને તેને પસંદ કરી રહ્યા છે.

આર્ટિસ્ટ દ્વારા આ ફોટો પીએમ મોદીને મોકલવાની ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : સુરતના આર્ટિસ્ટની કમાલ, માત્ર 30 રૂપિયામાં તૈયાર કર્યા shadow art ના ગણપતિ

આ પણ વાંચો :

અમેરિકી કોન્સ્યુલ જનરલ સુરતની મુલાકાતે, વિવિધ સ્થળોની મુલાકાત સાથે સુરતી વાનગીનો માણ્યો સ્વાદ

Follow Us
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">