Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:06 PM

રાજ્યમાં કોરોનાની (Corona) સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાથી સરકારના નિયમ પ્રમાણે ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની (Offline School) શરૂઆત થઇ ગઈ છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ પ્રત્યક્ષ શિક્ષણ બાબતે હજી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 6થી 8ના કુલ 76,684 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકારની ગાઈડલાઈન મુજબ સમિતિ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરતા પહેલા દરેક વિદ્યાર્થીના વાલી પાસે લેખિત સંમતિ મગાવવામાં આવી હતી. જે હેઠળ શિક્ષણ સમિતિ પાસે માત્ર 19,023 વાલીઓની સંમતિ અત્યાર સુધી આવી છે. એટલે કે ફક્ત 24 ટકા વાલીઓ જ પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ માટે મોકલવા હાલ તૈયાર થયા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓ માટે સંમતિ મળી છે તે પૈકી પણ 75થી 80 ટકા વિદ્યાર્થીઓ જ પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં વાલીઓમાં પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે.

માત્ર 24 ટકા વાલીઓની સંમતિ એ સૂચવે છે કે હજી પણ વાલીઓમાં કોરોનાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પણ વાલીઓને બાળકોને શાળાએ મોકલવા ચિંતા દેખાઈ રહી છે. શિક્ષણ સમિતિના સભ્યના જણાવ્યા પ્રમાણે ભલે કોરોના નિયંત્રણમાં હોય પણ બાળકોને સુરક્ષિત રાખવાની માનસિકતા દેખાઈ રહી છે.

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે તેઓને હજી ત્રીજી લહેરનો ડર છે. આટલો સમય રાહ જોઈ લીધા પછી હજી બે મહિના રાહ જોવામાં કોઈ ખોટું ન હોવાનું તેઓ માની રહ્યા છે.

દિવાળી પછી જોવાનું એ રહે છે કે શાળાઓ ફૂલ ફ્લેજ્ડ શરૂ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની હાજરી વધે છે કે કેમ. જોકે હાલ પરિસ્થિતિ કાબુમાં છે છતાં ત્રીજી લહેરની ભીતિથી શાળાઓમાં હજી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

આ પણ વાંચો:Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Latest News Updates

એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">