SURAT : NCC કેડેટસ હવે કોવિડ-19ની રાહત કામગીરીમાં જોતરાશે, કેડેટસને અપાઇ વિશેષ તાલિમ

SURAT : દેશ અત્યારે કોવિડ-19ના બીજા ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના NCC કેડેટ્સે યોગદાન કવાયત-II ના ભાગરૂપે નાગરિક પ્રશાસનને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે.

SURAT : NCC કેડેટસ હવે કોવિડ-19ની રાહત કામગીરીમાં જોતરાશે, કેડેટસને અપાઇ વિશેષ તાલિમ
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 7:57 PM

SURAT : દેશ અત્યારે કોવિડ-19ના બીજા ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના NCC કેડેટ્સે યોગદાન કવાયત-II ના ભાગરૂપે નાગરિક પ્રશાસનને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે. સુરતના DM દ્વારા કરવામાં આવેલી વિનંતીના પ્રતિભાવ રૂપે 56 ઉચ્ચ પ્રેરિત કેડેટ્સ (છોકરા અને છોકરીઓ બંને કેડેટ્સ) સ્વેચ્છાએ સુરતમાં કોવિડ-19માં કામ કરી રહેલી એજન્સીઓને રાહતના પ્રયાસો પૂરાં પાડવા અને મદદરૂપ થવા માટે તૈયાર થયા છે.

યોગદાન-II કવાયતનો પ્રારંભ થયો હોવાથી ગુજરાત નિર્દેશાલયના વધુ કેડેટ્સ સ્વેચ્છાએ સહકાર આપશે તેવી શક્યતા છે. ગુજરાત નિર્દેશાલયમાં 18 વર્ષથી વધુ ઉંમરના માત્ર સિનિયર ડિવિઝનના બોયઝ કેડેટ્સ અને સિનિયર વિંગની ગર્લ્સ કેડેટ્સને NCC યોગદાન II કવાયત અંતર્ગત પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે. આ નિયુક્ત કરાયેલા તમામ કેડેટ્સ સિનિયર વોલિએન્ટર કેડેટ્સ રહેશે અને તેઓ કોવિડ સલામતીની તમામ તકેદારીઓનું યોગ્ય પાલન કરશે અને પૂરતી સંભાળ લેશે. કેડેટ્સને નિયુક્ત કરવામાં આવે તે પહેલાં કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ તેના વિશેની તાલીમ આપવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સુરતમાં NCC કેડેટસને અપાઇ વિશેષ તાલિમ

વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11થી 14 એપ્રિલ 2021 દરમિયાન ટીકા ઉત્સવની જાહેરાત કરી છે. આ રસીકરણની જરૂરિયાત વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને કોવિડ માટે યોગ્ય આચરણોનું પાલન કરવાના મહત્વ વિશે લોકોને સમજાવવા માટે, ઘરે ઘરે જઇને સંવાદ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી સંખ્યામાં વીડિયો અને સંદેશાઓનો પ્રસાર કરીને સક્રિયપણે આ કેટેટસે ભાગ લીધો હતો. દિલ્હી ખાતે NCC મહાનિર્દેશાલય દ્વારા પણ પૂરતા પ્રમાણમાં સ્વૈચ્છિક કેડેટ્સની સલામતી માટેની જોગવાઇ કરવામાં આવી છે. દિલ્હી ખાતે NCCના DG સક્રિયપણે જોડાયેલા છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપી રહ્યાં છે.

ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે માહિતી આપી હતી કે, ગયા વર્ષે NCC યોગદાન I કવાયત દરમિયાન, ગુજરાત NCC નિર્દેશાલયના કેડેટ્સને મહત્તમ સંખ્યામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેની મહાનુભાવો અને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે, NCC યોગદાન II કવાયત માટે નિયુક્ત કરવામાં આવતા આ કેડેટ્સ અને સ્ટાફ માટે કોવિડ-19 સંબંધિત તમામ સલામતીની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે કેડેટ્સને નિયુક્તિ કરવા માટે તેમના માતાપિતાએ આગળ આવીને મંજૂરી આપી તે બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">