AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મ્યુનિસિપલ કમિશનરની વડોદરા બદલી, શાલિની અગ્રવાલ હશે નવા કમિશનર

તેમના સ્થાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.

Surat : મ્યુનિસિપલ કમિશનરની વડોદરા બદલી, શાલિની અગ્રવાલ હશે નવા કમિશનર
Surat: Municipal commissioner transferred to Vadodara, Shalini Agarwal will be the new commissioner
| Updated on: Oct 01, 2022 | 11:42 AM
Share

વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા બજાવી ચૂકેલા બંછાનીધી પાનીની બદલી કરવામાં આવી છે. તેમની બદલી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. બંછાનીધી પાનીએ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રેષ્ઠતમ કામગીરી કરી હતી જેમાં ખાસ કરીને કોરોના સમયમાં યોગ્ય વ્યૂહ રચનાના આધારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા સહીત સુરતના અનેક મોટા પ્રોજેકટોને પૂર્ણતાની કક્ષાએ લઇ જવાનો સમાવેશ થાય છે. ટ્રિપલ T, સ્વચ્છતા સર્વેક્ષણ, પાલ ઉમરા બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, ઈંસ્ફ્રસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે બંછાનીધી પાનીએ સુરતને હમેશા અગ્રેસર રાખ્યું છે.

વર્ષ 2019 ઓગસ્ટમાં બંછાનિધિ પાનએ સુરત શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ સુરતને સ્વચ્છતાના ધોરણે શહેરને દેશભરમાં નંબર વન બનાવવાની પહેલ હાથ ધરી હતી. જેમાં તેમને મહદઅંશે સફળતા પણ મળી હતી. તેઓએ વર્ષ 2020માં સુરતને સ્વચ્છતાના મામલે નંબર 2 બનાવ્યું હતું. આ સિવાય તેઓએ સુરતમાં પાલ-ઉમરા બ્રિજનો કોયડો ઉકેલી બ્રિજ ઝડપથી શરૂ થાય તે માટે પણ તેઓનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. આ ઉપરાંત શહેરમાં જયારે કોરોના પીક પર હતો ત્યારે કોરોના સંક્ર્મણ નાથવા માટે અને વેક્સિનેશનની કામગીરી પણ ઝડપી બનાવવા પણ કાબિલેતારીફ કામગીરી કરી હતી.

સુરતમાં હવે તેમના સ્થાને શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવી રહ્યા છે. શાલિની અગ્રવાલે જૂન 2021માં વડોદરાના મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. શાલિની અગ્રવાલ આ પહેલા કલેક્ટર તરીકે સારી કામગીરી કરી ચુક્યા છે, તથા તેઓ સ્ટ્રેટેજીસ્ટ, પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને વિવાદોથી દુર રહ્યા હોવાની છાપ પણ ધરાવે છે. તેઓને હવે સુરત મહાનગરપાલિકા કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">