AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: રાષ્ટ્રીય દીવાદાંડી દિવસ નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા હજીરાની દીવાદાંડીને યાદગીરીની ભેટ

આશરે 185 વર્ષ જૂની આ દીવાદાંડી ઘણી ઐતિહાસિક ચડાવ ઉતારની પણ સાક્ષી રહેલી છે. 21 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લાઇટહાઉસ નિમિત્તે હજીરાની આ દીવાદાંડી ઉત્તમ સન્માન પ્રાપ્ત થયું છે.

Surat: રાષ્ટ્રીય દીવાદાંડી દિવસ નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા હજીરાની દીવાદાંડીને યાદગીરીની ભેટ
Surat: Memorial gift to Hazira lighthouse by Post Department on the occasion of National Lighthouse Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:24 PM
Share

Surat: આજે હજીરા (Hajira) ખાતે આવેલો દીવાદાંડી પર એક પર્મેનન્ટ પિક્ટોરિયલ કેન્સલેશન, એક પિક્ચર પોસ્ટકાર્ડ અને એક સ્પેશ્યલ કવર ભારતીય ટપાલ વિભાગના ગુજરાત સર્કલની ખાસ મંજુરીથી બહાર પાડવામાં આવ્યું છે. હજીરા પોર્ટ (Hajira Port) સુરત શહેરથી નજીક આવેલું 18મી સદીનું ગુજરાતનું એક વિકસિત બંદરગાહ છે.

બાદશાહ જહાંગીરના સમયમાં 17મી શતાબ્દીમાં બ્રિટિશરો, ડચ, પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો. અહીં તાપી નદી અને દરિયાના સંગમના કારણે પાણી બારેમાસ હોય છે. જે વહાણો ચલાવવા માટે ખુબ ઉપયોગી હતું. એટલું જ નહીં તે સમયે લશ્કરી દ્રષ્ટિએ પણ આ સ્થાન ખુબ જ મહત્વનું હતું.

વિદેશ વેપારની સાથે અહીં સાંસ્કૃતિક વિકાસ પણ ઘણો થયો છે. વહાણ વ્યવહારને કારણે રાત્રે અવરજવર કરવા માટે અને દિશા બતાવવા માટે એક દીવાદાંડીનું હજીરા ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થળનું મૂળ નામ ધાઉ હતું. તે સમયે આ દીવાદાંડીની નજીક બ્રીશી અધિકારીની મિસ્ટર વુક્ષની કબર આવેલી છે.

કબરને ગુજરાતીમાં હાજીરો કહેવામાં આવે છે પણ હાજીરોમાંથી અપભ્રશ થઈને આ ગામનું નામ હજીરા થઈ ગયું. આ એક સુંદર દીવાદાંડી 25 મીટરની ઊંચાઈ ધરાવે છે. આશરે 185 વર્ષ જૂની આ દીવાદાંડી ઘણી ઐતિહાસિક ચડાવ ઉતારની પણ સાક્ષી રહેલી છે. 21 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લાઈટહાઉસ નિમિત્તે હજીરાની આ દીવાદાંડી ઉત્તમ સન્માન પ્રાપ્ત થયું છે.

ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરી માટે ટપાલ વિભાગ દ્વારા દીવાદાંડીની નજીકની પોસ્ટઓફિસમાંથી એક ખાસ ચિત્રમય કેન્સલેશન રજૂ થઈ રહ્યું છે. કાયમી પિક્ટોરિયલ કેન્સલેશન એ એક પોસ્ટમાર્ક છે. જે પ્રતિકૃતિ, ફોટો, ડિઝાઈન અથવા પ્રવાસી, ધાર્મિક, ઐતિહાસિક કે કોઈ અગત્યની જગ્યા અથવા વસ્તુને પ્રકાશિત કરતું ચિત્ર દર્શાવે છે.

પિક્ટોરિયલ કેન્સલેશન મુખ્યત્વે પ્રવાસીઓના રસના સ્થળોને વ્યાપક પ્રસિદ્ધિ આપે છે અને તે પોસ્ટ ઓફિસોમાં આપવામાં આવે છે. જે પ્રવાસી આકર્ષણના આવા સ્થળોની નજીક સ્થિત છે. પ્રયાગ ફિલાટેલી સોસાયટી તરફથી આ ઉદ્ઘાટન પ્રસંગની સ્મુતિ જળવાઈ રહે તેના માટે આ એક ખાસ કવર ટપાલ વિભાગના સહયોગથી બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

આ પણ વાંચો : Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ

Follow Us
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
g clip-path="url(#clip0_868_265)">