Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ કરતા હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે.

Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે
Surat: Residents of dilapidated Bhestan Awas will be shifted to other Awas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:35 PM

Surat સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના(SMC) સરસ્વતી આવાસના સ્લેબમાંથી વારંવાર પોપડા પડવાની ઘટના બનતા હવે આ વસવાટ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ટૂંક જ સમયમાં અહીં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે. સુરત શહેરને ઝીરો સ્લમ સીટી બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ઝુપડપટ્ટીઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

વર્ષો પહેલા સુરત મહાનગરપાલિકાને ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલા સરસ્વતી આવાસોમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. સમયસર રીપેરીંગ નહીં કરાતા આ આવાસો જર્જરિત થઇ ગયા હતા. અને ફ્લેટના સ્લેબમાંથી પોપડા પડવાની ઘટનાઓ શરૂ થઇ ગઈ હતી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ મનપાના આવાસો રહેવા લાયક નહીં હોવાનું જણાઈ આવતા મનપા દ્વારા અસરગ્રસ્તોને નોટિસ પાઠવવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેને પગલે 640 આવાસો પૈકી 300 થી વધુ ફ્લેટ ધારકોએ વસવાટ ખાલી કરી દીધો હતો. ગયા શુક્રવારે પણ સરસ્વતી આવાસની બિલ્ડીંગ નંબર 13માં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં એક બાળકીનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મનપાના ઉધના ઝોનના અધિકારીઓ પણ દોડી ગયા હતા.

ચોમાસા દરમ્યાન મોટી હોનારત નહીં સર્જાય તે માટે મનપા દ્વારા આ વસવાટ ખાલી કરાવવાની તજવીજ હવે હાથ ધરવામાં આવશે. આવાસમાં રહેતા અમુલ પરિવારોને ભેસ્તાન ખાતે આવેલા આવાસોમાં સ્થળાન્તર કરવામાં આવશે. જયારે અન્ય પરિવારોને વડોદ ખાતેના આવાસોમાં મકાન આપવામાં આવશે.

નોંધનીય છે કે માનવતાના ધોરણે મનપાએ લાભાર્થીઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે. પરંતુ લાભાર્થીઓ સૌછીક સ્થળાન્તર કરવા માટે આનાકાની કરતા મનપાનું તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. જો રહીશો સ્વાચ્છીક સ્થળાન્તર નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે વસવાટ ખાલી કરવામાં આવશે.

બીજી બાજુ ત્રણ મહિનામાં બે બાળકીઓના મોત નિપજતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

આ પણ વાંચો:  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">