Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર

કેન્દ્ર સરકારે ખેડૂતોને (Farmers) રાહત આપતા ડીએપીની પ્રતિ બેગ 850 રૂપિયાની સબસીડી (Subsidy) વધારાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે.

Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર
PM Kisan Khad YojanaImage Credit source: File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 30, 2022 | 3:47 PM

દેશમાં  મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધતી જઇ રહી છે. પેટ્રોલ ડિઝલનાં વધતા ભાવ વચ્ચે ખાતરનાં ભાવ (Fertilizer prices) પણ આસમાને પહોંચતા હવે ખેડૂતોની (Farmers) હાલત કફોડી બની રહી છે. જો કે કેન્દ્ર સરકારે ડી.એ.પી ખાતરની સબસીડીમાં વધારો કરતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને 200 કરોડનો ફાયદો થયો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ડી.એ.પી ખાતરની સબસીડીમાં વધારો કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. ત્યારે આ અંગેની માહિતી આપતા ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતુ કે દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઇઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ પાકની સીઝન આવી રહી છે ત્યારે ડીએપી ખાતર માટેનો કાચો માલ વિદેશથી આયાત થાય છે તે ખૂબ જ મોંઘો થયો છે. યુરિયા અને અન્ય ખાતરની કિંમતમાં પણ વધારો થવાનું સંપૂર્ણ અનુમાન છે. ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપીની પ્રતિ બેગ 850 રૂપિયાની સબસીડી વધારાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે.

Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?

સરકાર દ્વારા યુરિયા ખાતરના ભાવમાં આઠ વર્ષ સુધી કોઇ વધારો કરવામાં આવ્યો નહતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપી અને યુરિયા ખાતરન તેમજ કાચા માલમાં ઘણો વધારો થયો છે આ ભાવ વધારાનો બોજ સીધો ખેડૂત ઉપર ન આવે તે માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ડીએપી ખાતરમાં હાલ મળતી સબસીડી રૂપિયા 1650 પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી 2500 પ્રતિ બેગ કરવામાં આવ્યો છે. એટલે કે સબસીડીની રકમમાં સરેરાશ રૂપિયા 850નો વધારો થયો છે.

જોવા જઇએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વાર્ષિક ડીએપી ખાતરનો વપરાશ 120000 ટન છે. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. જેના માટે ડીએપી ખાતરની વિશેષ જરૂર હોય છે. ત્યારે સરકારના આ નિર્ણયના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે.

સુરત એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતર અને રો મટિરિયલના ભાવ વધવા છતાં વડાપ્રધાન, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાને કરાયેલી રજુઆત ફળી છે.

આ પણ વાંચો- Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચો-Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">