Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં

જો સુરતમાંથી પસંદગી કરવાની થાય તો સી.આર.પાટીલની નજીકના ગણાતા હર્ષ સંઘવી (Harsh Sanghvi) અથવા તો મૂળ સુરતી અને અભ્યાસુ અરવિંદ રાણા (Arvind Rana) પર પસંદગીનો કળશ ઢોળાય તેમ છે.

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં
File Image
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:54 PM

Surat: સિનિયર અને ચર્ચાસ્પદ નામોને બદલે ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી (CM Bhupendra Patel) પદ માટે પસંદગી કરનાર ભાજપ આ ટર્મમાં ગુજરાતના મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નબળી કામગીરીનો રેકોર્ડ ધરાવતા તેમજ વિવાદાસ્પદ બની રહેનાર મંત્રીઓની હકાલપટ્ટી નિશ્ચિત છે. તેવામાં સુરતમાંથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)નું પત્તું પણ કપાઈ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો
રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો
પાણી નહીં જમીન પર રહે છે આ રહસ્યમય માછલી, ચાલે પણ છે, કુદકા પણ મારે છે
Running Horses Painting: ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું થાય છે?

ત્યારે સુરતમાં પાટીદારોએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હોવાથી પાટીદારને ધારાસભ્ય અને મંત્રી પદ મળે તેવી શક્યતા ધૂંધળી દેખાઈ રહી છે. બીજી તરફ મૂળ સુરતી ધારાસભ્યોનો અન્યાય દૂર કરવા અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને અરવિંદ રાણાની પસંદગી થઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ગણપત વસાવા જાતિવાદના સમીકરણને આધારે પોતાનું મંત્રીપદ જાળવી રાખવામાં સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદ, જાતિવાદ અને વિસ્તારવાદના સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવશે તે નક્કી છે.

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો હાલમાં માત્ર કિશોર કાનાણી જ મંત્રીમંડળમાં છે. પરંતુ કિશોર કાનાણી રાજ્ય સરકારનો હિસ્સો હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ તેમણે ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનરને પત્ર લખીને રસ્તા ઉપર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

આરોગ્યમંત્રી હોવા છતાં કોરોનાકાળમાં પણ તેમની કામગીરી સાવ નબળી જોવા મળી હતી. વરાછા, કતારગામમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છતાં મંત્રી તરીકે કુમાર કાનાણી સરકારની કામગીરીનો પૂરતો પ્રચાર અને પ્રસાર નહીં કરી શકતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો હતો.

એટલું જ નહીં કોરોનાકાળમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કુમાર કાનાણીના ઘરનો ઘેરો ઘાલીને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. હવે કુમાર કાનાણીને મંત્રીમંડળમાંથી મુકાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જો સુરતમાંથી પસંદગી કરવાની થાય તો સી.આર.પાટીલ નજીકના ગણાતા હર્ષ સંઘવી (Harsh Sanghvi )અથવા તો મૂળ સુરતી અને અભ્યાસુ અરવિંદ રાણા(Arvind Rana ) પર પસંદગીનો કળશ ઢોળાય તેમ છે.

પૂર્ણેશ મોદી સી.આર.પાટીલ વિરોધી જૂથના હોવાથી તેમનું પત્તું કપાઈ શકે છે તે સ્વાભાવિક બાબત છે. રાજ્યના અન્ય પાટીદારોને વધારે મહત્વ આપ્યું હોવાથી સુરતના પાટીદાર ધારાસભ્યોની નામોની વિચારણા થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

આ પણ વાંચો : Surat : ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી બંને કાંઠે, સર્જાયો આહલાદક નજારો

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત
Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત
છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ
છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ
NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ
NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
g clip-path="url(#clip0_868_265)">