Surat: દિવાળીની રજાઓમાં લોકો બહાર ફરવા જતા શહેરમાં તમામ ગ્રુપના રક્તની અછત સર્જાઈ

શહેરમાં પોસ્ટર દ્વારા અને જનજાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષે દિવાળી વેકેશનમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.

Surat: દિવાળીની રજાઓમાં લોકો બહાર ફરવા જતા શહેરમાં તમામ ગ્રુપના રક્તની અછત સર્જાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:02 PM

દિવાળી વેકેશનમાં (Diwali Vacation) મોટાભાગના લોકો બહારગામ ફરવા કે વતન ગયા હોવાથી રક્તદાનને (blood donation) પણ અસર થઈ છે. રક્તદાનને સૌથી મહાન દાન માનવામાં આવે છે. સુરત શહેરના લોકો રક્તદાનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં દિવાળીની રજાઓ ચાલી રહી છે. જેના કારણે બહુ ઓછા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે તમામ ગ્રુપના લોહીની અછત સર્જાઈ છે.

તેવામાં રક્તદાતાઓને રક્તદાન કરીને રક્તની આ અછત દૂર કરવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન કરવાથી કોઈ જરૂરિયાતમંદનો જીવ બચી શકે છે તેવો મેસેજ પણ મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. શહેરમાં તમામ ગ્રૂપના લોહીની અછતના કારણે લોકોમાં થેલેસેમિયા, બ્લડ કેન્સર, સિકલ સેલ એનિમિયા તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દર દસ-પંદર દિવસે લોહી ચડાવવાના કારણે આ દર્દીઓને લોહીની અછત થતાં ઘણી તકલીફ પડી રહી છે. સુરત બ્લડ ડોનેશન સેન્ટર એન્ડ રિસર્ચ સેન્ટરના નિતેશ મહેતા અને લોક સમર્પણ બેંકના ડો.સુભાષ ખૈનીએ કહ્યું હતું કે દર વર્ષે દિવાળી વેકેશનમાં લોકો શહેરની બહાર પોતાના વતન કે ફરવા માટે જાય છે, જેના કારણે શહેરમાં રક્તદાન કેમ્પનું આયોજન થતું નથી અથવા બહુ ઓછું થાય છે.

શહેરમાં 1લીથી 15મી નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નહીં થવાના કારણે લોહીની અછત સર્જાઈ છે. જેમાં પણ ખાસ કરીને એ-પોઝિટિવ અને એ-બી પોઝિટિવ બ્લડ શોધવાનું મુશ્કેલ બની ગયું છે. ન્યુ સિવિલ બ્લડ બેંકના ડો.મયુર જરાગ અને સ્મીમેર હોસ્પિટલના ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે આવા સમયે લોકોએ દર્દીઓના જીવ બચાવવા માટે સેવાલક્ષી સંસ્થાઓ, વર્તુળો અને સેવાભાવી વ્યક્તિઓએ રક્તદાન માટે આગળ આવવું ખુબ જરૂરી છે.

શહેરમાં પોસ્ટર દ્વારા અને જનજાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. દર વર્ષે દિવાળી વેકેશનમા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે પણ આ વર્ષે કોરોનાના કારણે પણ લોકોમાં રક્તદાન માટે પીછેહઠ જોવા મળી હતી. જેથી બ્લડ બેંકો દ્વારા શહેરની જનતાને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

આ પણ વાંચો : સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">