AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ

સરકાર ટેક્સના દરમાં વધારો કરીને આવકો વધારવાના ભ્રમમાં છે. કારણ કે ટેક્સ વધવાથી 50 ટકા ટેક્સ પેયર બ્લેકમાં સીધા કામ કરવાની ફરજ પડશે.કાપડ ઉદ્યોગના તમામ સંગઠનો એક મંચ પર એકઠા થયા છે, સ્પિનિંગ ઉદ્યોગોએ પણ સાથે મળીને સરકારને રજૂઆત કરવી જોઈએ.

Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ
GST on Textile business
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:04 PM
Share

એક તરફ સરકાર 80 કરોડ લોકોને મફત ભોજન (Food )આપવાની જાહેરાત કરી રહી છે અને બીજી તરફ કપડા(Textile ) પર 12 ટકા જીએસટી(GST) લગાવ્યા બાદ આ ગરીબ લોકોએ કપડાં અને સાડીઓ ખરીદવા માટે 30-40 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશનો કાપડ ઉદ્યોગ આત્મનિર્ભર છે, પરંતુ 12 ટકા જીએસટી લાગુ થવાથી કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થશે. GSTના દરમાં 5 થી 12 ટકાના પ્રસ્તાવિત વધારાના વિરોધમાં પહેલીવાર દેશના અનેક ઉદ્યોગ સંગઠનો એક થઈને આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ટેક્ષટાઇલ મંત્રી દર્શન જરદોશે એક કાર્યક્રમમાં ટેક્સ્ટાઇલ વેપારીઓને ટપારતા કહ્યું હતું કે ડાયમંડ ઉધોગની જેમ ટેક્સ્ટાઇલ ઉધોગ સંગઠિત નથી. જોકે મંત્રીની આ ટકોર બાદ હવે ટેક્સ્ટાઇલ એસોસિયેશને એક થઈને જીએસટી મુદ્દે લડત આપવાનો નિર્ણય લીધો છે.

ચેમ્બર અને ફિઆસવી દ્વારા આયોજિત બેઠકમાં મુંબઈ, કર્ણાટક, સલંગ, અમદાવાદ અને સાઉથ ગુજરાત ચેમ્બરની પેરન્ટ બોડી ગુજરાત ચેમ્બર જેવા 44 મોટા એસોસિએશનોએ ભાગ લીધો હતો જેમાં ટેક્સટાઈલ સેક્ટર પર 5 ટકા GSTની વાત કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રતિનિધિ ફિઆસવીની આગેવાની હેઠળ 1 ડિસેમ્બરે સંયુક્ત પ્રતિનિધિમંડળ સાથે કોમન લેટરપેડ દ્વારા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.

ઉદ્યોગ હજુ પણ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે અને મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે જ સરકારે 12 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. લાખો મહિલાઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તેની અસર તેમના રોજગાર પર પણ પડશે. ઘણા પ્રોસેસ હાઉસ બંધ રહેશે અને બજારોમાં દુકાનો પણ બંધ રહેશે, જેની સીધી અસર રોજગાર પર પડશે.

દેશભરના ટેક્સટાઈલ ઉદ્યોગકારો ડેટાબેઝ તૈયાર કરશે અને તેને રાજ્યના નાણામંત્રી અને કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂ કરશે. વેપારીઓ કોર કમિટી બનાવીને વ્યવસ્થિત ડેટાબેઝ બનાવીને સરકારને નાની નાની માહિતી આપવાની તૈયારી કરી રહ્યા છે. ડેટાબેઝમાં ખરેખર કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની વિગતો આપવામાં આવશે.

GST લાગુ થયા બાદ રિટેલર ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું છે. હાલમાં ગામડાના નાના વેપારી જે પ્રામાણિકપણે 5 ટકા જીએસટી પર વેપાર કરે છે, તે 12 ટકા જીએસટીનો બોજ ઉઠાવી શકશે નહીં. એક નાનો રિટેલર શક્ય હોય તેટલો માલ બ્લેકમાં ઓર્ડર કરશે અને વેચશે.

આ સત્ય કોઈનાથી છુપાયેલું નથી. જો કે વાસ્તવિકતા એ હશે કે બ્લેકમાં બિઝનેસ કર્યા વિના તે પોતાના બિઝનેસને સુરક્ષિત કરી શકશે નહીં. ભલે તે ગમે તેટલો પ્રામાણિક હોય, તેને બ્લેક સાથે બિઝનેસ કરવા માટે દબાણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટરો અને અધિકારીઓના  સેટિંગથી કાપડ ઉદ્યોગને ઘણું નુકસાન થશે.

સરકારના આ નિર્ણયને કારણે કાપડ ઉદ્યોગને અન્યાય થઈ રહ્યો છે. મીટીંગમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકારને એકતા બતાવવાનો સમય આવી ગયો છે. તેમણે પ્રારંભિક તબક્કામાં રજૂઆત બાદ જરૂર પડે તો દેશવ્યાપી આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

ફીયાસવીના ચેરમેન ભરત ગાંધીના જણાવ્યાનુસાર GSTના દરો વધારવાના નિર્ણયમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી કોઈ સંસ્થાનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. લગભગ 5 ટકા લોકો એવા છે જેમના વોટ સ્વીકારવામાં આવ્યા અને આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે 95 ટકા હિસ્સેદારો તેની વિરુદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સમગ્ર કાપડ ઉદ્યોગમાંથી કોઈ એકને અસર થશે તો તેની અસર સમગ્ર ઉદ્યોગને થશે અને આખરે સમગ્ર ઉદ્યોગ પડી ભાંગશે.

ઉધના ઉદ્યોગ નગર સંઘના કેતન જરીવાલાએ જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગના એક ક્ષેત્રને નુકસાન થઈ શકે છે અને બીજાને નફો થઈ શકે તેમ નથી. સરકાર ટેક્સના દરમાં વધારો કરીને આવકો વધારવાના ભ્રમમાં છે. કારણ કે ટેક્સ વધવાથી 50 ટકા ટેક્સ પેયર બ્લેકમાં સીધા કામ કરવાની ફરજ પડશે. કાપડ ઉદ્યોગના તમામ સંગઠનો એક મંચ પર એકઠા થયા છે, સ્પિનિંગ ઉદ્યોગોએ પણ સાથે મળીને સરકારને રજૂઆત કરવી જોઈએ.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA)ના જીતુ વખારિયાનું કહેવુ છે કે, આપણે આવી વાત કરતા પહેલા ડેટા એકત્રિત કરવો જોઈએ. આપણી વાત કોઈ સાંભળશે નહીં. રાજ્યમંત્રીને પણ આ જ રજૂઆત કરવી જોઈએ. આપણે આ બધું વેપારી મૈત્રીપૂર્ણ રીતે રજૂ કરવું જોઈએ અને તેને નકારાત્મક રીતે વ્યક્ત ન કરવું જોઈએ.

વણકર અગ્રણી મયુર ગોલવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સરકારે આટલો મોટો નિર્ણય કયા ઉદ્યોગ સાહસિકોને લઈને લીધો? કારણ કે સુરત કે દક્ષિણ ગુજરાતના એકપણ ઉદ્યોગપતિની સલાહ લેવામાં આવી નથી. આનાથી એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે જેનો સરકારે અમને જવાબ આપવો જોઈએ જેથી અમને પણ અમારો પક્ષ રજૂ કરવામાં સરળતા રહે.

સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગ સાથે 35 કરોડ કામદારો સંકળાયેલા છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ છે જેઓને સીધી અસર થશે. દેશમાં 5 લાખ ઓટોમેટિક લૂમ્સ છે, જેમાંથી 50 ટકા સુરતના છે, જેને આ નિર્ણયની અસર થશે. નાણામંત્રી સાથેની બેઠકમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો એકમાત્ર ઉપાય હતો. આ બેઠકમાં બધાએ સર્વાનુમતે આ નિર્ણયમાં અમને સમર્થન આપ્યું છે. આ માટે, એક GST પ્રતિનિધિત્વ સમિતિની પણ રચના કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">