AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે, દિવાળીથી આટલી ઝડપે ચાલશે ટ્રેન

Ahmedabad to Mumbai Train: અમદાવાદ થી મુંબઈ વચ્ચેના રેલવે ટ્રેકના રુટ માટે હાલમાં કવચ પ્રોજેક્ટ યોજનાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો, આ કામ પુર્ણ થયા બાદ ગતિ મર્યાદા વધી જશે અને તેનુ નિરીક્ષણ કર્યા બાદ ટ્રેનની ગતિ વધારાશે.

Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે, દિવાળીથી આટલી ઝડપે ચાલશે ટ્રેન
Ahmedabad to Mumbai Train ની વધારાશે ગતિ
| Updated on: Jun 06, 2023 | 4:47 PM
Share

અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં ઝડપી ગતિએ ટ્રેન દોડી રહી છે. પરંતુ આગામી દિવાળીએ વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓને માટે મોટી ભેટ મળનારી છે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરનારા મુસાફરોને ઝડપી ગતિની ટ્રેનની સુવિધાનો લાભ મળશે. અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા સુપરફાસ્ટ બની જશે, એટલે કે આગામી દિવાળીની આસપાસથી દોઢસોથી પણ વધારે ગતિની ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ઝડપ વધારવા માટેના પ્રોજેક્ટનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ઓડિશામાં થયેલા રેલ અકસ્માતને લઈ કવચ સિસ્ટમની ચર્ચા ખૂબ જ વર્તાઈ રહી છે. પરંતુ આગામી દિવસોમાં અમદાવાદ મુંબઈ રેલવે સેવા વધુ સલામત અને સુરક્ષિત બની જશે. હાલમાં અમદાવાદ-મુંબઈ રુટ પર કવચ સિસ્ટમ લાગુ કરવાને લઈ કામગીરી ચાલી રહી છે. જેને અંતર્ગત રુટ પર ટાવર ફિટ કરવાાં આવી રહી છે. આ સાથે જ ટ્રેનમાં ખાસ કવસ સિસ્ટમ મુજબના ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ લગાડવાના છે, જે ફિટ કર્યા બાદ સંપૂર્ણ કવચ સિસ્ટમ એક્ટિવેટ કર્યા બાદ રુટ પર રેલ સેવા એકદમ સુરક્ષિત બની જશે.

160 કિમીની ઝડપે દોડશે ટ્રેન

ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ કામગીરી ખતમ થઈ જવાની આશા છે. જે મુજબ આગામી દિવાળીની આસપાસમાં ગુજરાતથી મુંબઈ વચ્ચેની રેલ સેવા ઝડપી બની ચુકી હશે. આ માટે હાલમાં યુદ્ધના ધોરણે કામગારી ટ્રેક પર ચાલી રહી છે. જેમાં ટ્રેકની બંને તરફ સેફ્ટી માટેની કામગીરી ચાલી રહી છે. આ સિવાય ટ્રેક પર પણ કવચ પ્રોજેક્ટનુસાર ટાવર અને અન્ય ઉપકરણો લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ટ્રેનની ગતિને લઈ CSR કરાશે અને તેના રિપોર્ટ બાદ ટ્રેનની ગતિ વધારવામાં આવશે.એમ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અમિતકુમાર મિશ્ર એ મીડિયાને હિંમતનગર ખાતે જણાવ્યુ હતુ.

મિશ્રએ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે TV9ના સવાલનમાં બતાવ્યુ હતુ કે, કવચ સુરક્ષા સિસ્ટમ લાગુ કર્યા બાદ ટ્રેનની ગતિમાં વધારો કરવામાં આવશે. હાલમાં અમદાવાદ થી મુંબઈ વચ્ચે ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિકલાકની છે, જે વધારીને 160 સુધી કરવામાં આવશે. આ માટે હાલમાં સુરક્ષાને લગતી કેટલીક કામગીરી ચાલુ છે, જેના ટ્રાયલ અને નિરીક્ષણ કાર્યો પૂર્ણ થયા બાદ ટ્રેનની ઝડપ વધારી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Himmatnagar ના કેનાલ ફ્રન્ટને વધુ સુંદર બનાવાશે, પ્રફુલ પટેલે નિરીક્ષણ કરી ડ્રિમ પ્રોજેક્ટના વિકાસ માટે આપ્યુ માર્ગદર્શન

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">