‘કળિયુગના શ્રવણ’ મહેસાણાના રાજેશ પટેલ 1 હજાર વૃદ્ધોને તીર્થ યાત્રા પર લઈ જશે, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:22 AM

  જયારે માતા-પિતા વૃદ્ધ અને કમજોર થાય છે ત્યારે તેમને તેમના પુત્રોના સહારાની જરૂર પડતી હોય છે. પરંતુ આજના સમયમાં કેટલાક યુવાનો પોતાની ફરજ ભૂલી જાય છે. માતા-પિતાને બોજ સમજી ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના સીતાપૂર ગામનો યુવાન શ્રવણ બન્યો છે. રાજેશ પટેલ નામનો યુવાન 1,107 સિનિયર સિટીઝનને વિના મૂલ્યે […]

કળિયુગના શ્રવણ મહેસાણાના રાજેશ પટેલ 1 હજાર વૃદ્ધોને તીર્થ યાત્રા પર લઈ જશે, જુઓ VIDEO

Follow us on

 

જયારે માતા-પિતા વૃદ્ધ અને કમજોર થાય છે ત્યારે તેમને તેમના પુત્રોના સહારાની જરૂર પડતી હોય છે. પરંતુ આજના સમયમાં કેટલાક યુવાનો પોતાની ફરજ ભૂલી જાય છે. માતા-પિતાને બોજ સમજી ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના સીતાપૂર ગામનો યુવાન શ્રવણ બન્યો છે. રાજેશ પટેલ નામનો યુવાન 1,107 સિનિયર સિટીઝનને વિના મૂલ્યે યાત્રાધામે લઈ જાય છે. તેના આ ધાર્મિક કામની નોંધ ધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કહેવાય છે કે ભુલો ભલે બીજું બધું મા-બાપને ભુલશો નહીં. પરંતુ આ કળિયુગમાં અનેક એવા ઉદાહરણ જોવા મળે છે, જેમાં પુત્ર માતા-પિતાને ત્યજી દે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં આવેલા સીતાપુર ગામના રહેવાસી રાજેશ પટેલે 1,107 વડીલોને નિશુલ્ક ધાર્મિક યાત્રા કરાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજેશ પટેલે 26 લાખ રૂપિયાના ખર્ચે સિનિયર સિટીઝનને હરિદ્રાર જેવા યાત્રાધામ લઈ જઈને દર્શન કરાવ્યા. એટલું જ નહીં હવે તેઓ 1 હજાર સિનિયર સિટીઝનને ધાર્મિક પ્રવાસે લઈ જશે. આમ કૂલ 2100 વૃદ્ધ વડીલ માટે રાજેશ પટેલ હળાહળ કળિયુગમાં પણ સતયુગના શ્રવણ બન્યા છે. આ પ્રવાસમાં રેલવે બુકિંગ, રહેવા-જમવાની વ્યવસ્થા તથા સાઈટ સીનના ખર્ચ સાથે કૂલ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Sun, 13 October 19

Next Article