જામનગરના કાલાવડના ખેડૂતો માટે સૌની યોજના અભિશાપ બની, ખેડૂતોના ખેતરો ખોદી નાખ્યા, 3 માસને બદલે એક વર્ષે પણ કામ અધૂરા
સૌની યોજના ખેડૂતો માટે લાભદાયી યોજના છે. પરંતુ જામનગરના કાલાવડના ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે. સૌની યોજના માટે ખેડૂતોના ખેતરોમાં કામ કરવા માટે કરેલ ખોદકામ યથાવત રહેતા ખેડૂતો ખેતી નથી કરી શકતા. સૌની યોજના માટે જેમના ખેતરમાં કામ કરવામા આવે તેમને વીઘા દિઠ 25000 આપવાનુ કહેવાયું હતું. પરંતુ આપવામા આવ્યા છે માત્ર 17000. 3 મહિનામાં […]
સૌની યોજના ખેડૂતો માટે લાભદાયી યોજના છે. પરંતુ જામનગરના કાલાવડના ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે. સૌની યોજના માટે ખેડૂતોના ખેતરોમાં કામ કરવા માટે કરેલ ખોદકામ યથાવત રહેતા ખેડૂતો ખેતી નથી કરી શકતા. સૌની યોજના માટે જેમના ખેતરમાં કામ કરવામા આવે તેમને વીઘા દિઠ 25000 આપવાનુ કહેવાયું હતું. પરંતુ આપવામા આવ્યા છે માત્ર 17000. 3 મહિનામાં જે કામ કરવાનું હતુ તે કામ એક વર્ષે પણ પૂરુ થયુ નથી. જેના કારણે ખેડૂતોને વર્તમાન ખરીફ ઋુતુ ખેતી વિના જ પસાર થશે. ખેડૂતોએ કોન્ટ્રાકટરોને કામકાજ બંધ રાખવા કહ્યું તો પોલીસ કેસ કરવાની ઘમકી ઉચ્ચારીને ખેડૂતોને બોલતા બંધ કરી દીધાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે. સૌની યોજના અધૂરી કેમ રહી છે સૌની યોજનાનું કામકાજ ક્યા પહોચ્યુ તે પણ કોઈ સરકારી અધિકારી કે પ્રધાન પુછતા હોય તેમ લાગતુ નથી. જો રોજેરોજ કામના પ્રગતિનો અહેવાલ અધિકારી કે પ્રધાનોના ટેબલ ઉપર મૂકાય અને તેઓ જોવે તો ખબર પડે કે ખેડૂતોને અધૂરી યોજનાથી કેટલુ નુકસાન થઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો