AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

18 વર્ષ સુધીના બાળકો બચત કરી શકે એ માટે થઈને બાળ ગોપાળ બચત મંડળી ઈડરમાં ચલાવવામાં આવે છે. જ્યા બાળકો દ્વારા પોતાની બચતને જમા કરવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી આ મંડળી રુપની બેંકમાં હાલમાં 5 કરોડ રુપિયા બાળકોનો જમા છે.

Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!
સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ
| Updated on: Aug 04, 2023 | 4:52 PM
Share

બાળકો કરોડો રુપિયાનુ રોકાણ કરી શકે છે. એ પણ સહકારી ધોરણે વાત તમને જરા માન્યામાં ના આવે એવી છે પરંતુ આ કમાલ સાબરકાંઠા જિલ્લાના બાળકોએ કરી બતાવ્યો છે. 18 વર્ષ સુધીના બાળકો બચત કરી શકે એ માટે થઈને બાળ ગોપાળ બચત મંડળી ઈડરમાં ચલાવવામાં આવે છે. જ્યા બાળકો દ્વારા પોતાની બચતને જમા કરવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી આ મંડળી રુપની બેંકમાં હાલમાં 5 કરોડ રુપિયા બાળકોનો જમા છે. જ્યારે અત્યા સુધીમાં 16 કરોડ રુપિયાની રકમ બાળકોએ બચત કરીને એકઠી કરી છે. સાબરકાંઠાના બાળકોની બચતની વાત હવે લોકસભામાં વખાણાઈ છે.

આમ તો તમને એમ હશે કે, મહેમાનગતી કોઈના ઘરે અને ગયા અને બાળકને ચોકલેટ ખાવા માટે આપેલા પૈસાની બાળક ચોકલેટ જ ખાતો હશે. પરંતુ માન્યતા સાબરકાંઠાના કેટલાક બાળકોએ ખોટી ઠેરવી દીધી છે. કારણ કે અહીં બાળકોએ ચોકલેટ પાછળ પૈસા ખર્ચવા કરતા પોતાની બચત બેંકમાં વધારે પૈસા રોકે છે. બાળકો અહીં પોતા સગા સંબંધીઓ કે પછી પરિવારજનોએ આપેલ રકમને વાપરીને મોજ મસ્તી કે ચોકલેટ પાછળ ઉડાવવાને બદલે બચત બેંકની નાનકડી પેટીમાં જમા કરવામાં આવે છે. આવા 17 હજાર બાળકો છે, જેમણે પૈસાની બચત કરી છે અને કરોડો રુપિયા એકઠા કર્યા છે. લોકસભામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ વખાણ કરતા કરી હતી. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે.

સંસ્કાર સિંચન કરવા કરાઈ શરુઆત

બાળકોને સંસ્કારનુ સિંચન કરવુ જરુરી છે. આ રીતે બચત કરવાની શરુઆતથી બાળકોમાં સારી આદત કેળવાઈ રહી છે. બાળકો પણ બચત કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનુ અંતર બાળપણથી જ બાળકમાં સર્જાતુ હોય છે. આવી શરુઆત ઈડરના લાલોડા ગામના એક પરિવારના બાળકોથી શરુઆત થઈ હતી. જે ધીરે ધીરે આગળ વધતા હવે બાળકોની સંખ્યા 17 હજાર પહોંચી છે, એમ મંડળીના ચેરમેન અશ્વિન પટેલે ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ.

. આમ કરીને બાળકોએ અત્યાર સુધીમાં 16 કરોડ રુપિયાની બચત કરી શક્યા છે. હાલમાં પણ બાળકોએ બચાવેલી થાપણ રુપે બેંકમાં 5 કરોડ રુપિયાથી વધારેની થાપણ જમા છે. બાળકો લેપટોપ અને કોલેજની ફીથી લઈને અનેક રીતની જરુરીયાતો બચતના પૈસાથી કરી શકે છે.

રુપાલાએ લોકસભામાં કર્યા વખાણ

હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ પ્રકારે બચત કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. મંડળી દ્વારા આ માટે નેટવર્ક ગોઠવવામાં આવ્યુ છે. જે મુજબ મંડળીએ નક્કી કરેલ એજન્ટ દર મહિને બચત પેટી ખોલીને તેમાં એકઠી થયેલ રકમ બાળકના ઘરેથી લઈને મંડળીમાં જમા કરાવતા હોય છે. કેન્દ્ર પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ પણ આ વાતનો ઉલ્લેખ લોકસભામાં કર્યો હતો. જેને લઈ હવે આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને હવે આ અંગેની જાણકારી મેળવવા માટે દેશભરમાંથી ઈડરમાં ફોન આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો યુવક કચેરીમાં જ ઢળી પડ્યો, 35 વર્ષના યુવાનનુ મોત

 સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">