Sabarkantha: 5100 યુવકોને ત્રિશુલ દિક્ષા અપાઇ, હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો કાર્યક્રમ

હિંમતનગર (Himmatnagar) ખાતે ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 5100 જેટલા યુવાનોને ત્રિશૂલ દિક્ષા સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં સાધુ- સંતોની ઉપસ્થિતીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Sabarkantha: 5100 યુવકોને ત્રિશુલ દિક્ષા અપાઇ, હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો કાર્યક્રમ
સાધુ સંતોએ યુવાનોને સમાજ ઉપયોગી અને રક્ષા ભાવના અંગે માર્ગદર્શન આપ્યુ
Follow Us:
| Updated on: Mar 13, 2022 | 12:03 PM

વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને બજરંગ દળ (Bajrang Dal) દ્વારા હિંમતનગર ખાતે ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple, Himmatnagar) ખાતે યોજાયેલ દિક્ષા મહોત્સવમાં ઉત્તર ગુજરાતના સાધુ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતીમાં 5100 જેટલા યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. દિક્ષા મહોત્સવમાં યુવકોએ જોડાઇને સાધુ-સંતોનુ માર્ગદર્શન મેળવ્યુ હતુ. દિક્ષાર્થી યુવાનોને સમાજ ઉપયોગી કાર્યોને લઇને સાધુ-સંતોએ મહત્વના માર્ગદર્શન આપ્યા હતા. પરિષદ અને બજરંગ દળ દ્વારા આફત અને કોરોના કાળ દરમિયાન કરેલ સેવાને પણ યાદ કરવામાં આવી હતી.

વખતો વખત ત્રિશૂલ દિક્ષા આપવામાં આવતી હોય છે. જેના થકી સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવવાનો જુસ્સો અને માર્ગદર્શન ઉપરાંત સમાજની રક્ષા કરવા માટે આહવાન કરવામાં આવતુ હોય છે. સમાજના યુવાનોને શિક્ષિત, સમરસ અને સંગઠિત કરવાનો પણ આ પ્રયાસ ગણાવ્યો હતો. આ સાથે જ યુવાનોને ગૌ રક્ષા, સંતો, સાધુઓ અને વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સુરક્ષા અને સલામતિ કરવા માટે યુવાનોને પ્રેરણા આપવામાં આવી હતી. આમ રાષ્ટ્રની ઉન્નતી અને તે માટેની કટીબદ્ધતા અંગે પણ સંતો અને ઉપસ્થિત પ્રવક્તાઓએ માર્ગદર્શન દિક્ષા મહોત્સવમાં આપ્યુ હતુ.

પ્રથમ વાર વિશાળ સંખ્યામાં દિક્ષાર્થીઓનો ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમ યોજાયો

હિંમતનગર શહેરમાં આવડી મોટી સંખ્યામાં એક સાથે ત્રિશૂલ દિક્ષા યુવાનો લઇ રહ્યા છે. યુવાનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઇને સમાજ સેવામાં જોડાતા હોય છે. પરંતુ વિશાળ સંખ્યામાં હવે ત્રિશૂળ દિક્ષા આપવાનો આ પ્રથમ વાર કાર્યક્રમ મોટી સંખ્યાની દૃષ્ટીએ હિંમતનગરમાં યોજાયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પરિષદ અને દળના કાર્યકરો અને પદાધિકારીઓએ કુદરતી આફત અને કોરોના કાળમાં અનેક જરુરિયાતમંદોને સેવાઓ પુરી પાડી હતી. ખાસ કરીને બેરોજગાર થયેલા યુવાનો અને પરિવારોને પણ મદદનો હાથ લંબાવ્યો હતો. અનેક પરિવારોને અનાજ અને કરિયાણાની કિટ પણ પુરી પાડવામાં આવી હતી. તેમજ સારવાર માટે પણ મદદ માટે પાંખના યુવાનો અને આગેવાનો ખડેપગ રહ્યા હતા. આમ હવે આવી આફતોનો સામનો કરવા માટે પણ યુવાનોની ભાવનાઓને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ WI vs ENG: એન્ટિગુઆ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થતા ઇંગ્લેન્ડ ટીમના નિર્ણય પર કાર્લોસ બ્રેથવેટ ભડક્યો, કહ્યુ ભારત સામે આમ કરી શક્યા હોત?

આ પણ વાંચોઃ IND vs SL: શ્રેયસ અય્યર 92 રનની ઇનીંગ રમીને પણ અણગમતી યાદીમાં સામેલ થયો, જેમાં સચિન, સહેવાગ, વેંગસરકર પણ છે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">