અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ

સતત એક સવાલ થઈ રહ્યો છે કે, હિંમતનગર રુટ પર વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે? જોકે હાલમાં ચાલતી તૈયારીઓને લઈ નવા વર્ષે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો-પ્રવાસીઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા મળી શકે છે. અસારવા થી ઉદયપુર વચ્ચે હાલમાં ચાલી રહેલ ડીઝલ એન્જિન ટ્રેનને બદલે હવે ઈલેક્ટ્રિક ટ્રેનની સુવિધા મળશે. આમ હવે નવા વર્ષમાં ઝડપી અને સુવિધાજનક રેલવેની સફર આ રુટ પર મળશે. હિંમતનગર થી અસારવા વચ્ચે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનનુ કાર્ય ઝડપી બનાવાયુ છે.

અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
શરુ થશે વંદે ભારત ટ્રેન?
Follow Us:
| Updated on: Oct 30, 2023 | 7:01 PM

અમદાવાદ થી ઉદયપુર જવા માટે હવે આગામી ઉત્તરાયણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવી ભેટ ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓને આપી શકે છે. આ માટે રેલવેએ કામની ઝડપ વધારી દીધી છે. આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં અમદાવાદ થી ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈનને ઇલેક્ટ્રિફાઇડ કરી દેવાશે. આ માટે બ્રોડગેજ ટ્રેક પર વીજ લાઈન નાંખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ

આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ થઈ જાય એવી શક્યતાઓ છે. રેલવેએ આપેલા કાર્યનુ કામ અધિકારીઓની દેખરેખ હેઠળ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિફાઇડ લાઈન થઈ ગયા બાદ ઉદયપુર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરવાનુ સપનુ સાકાર થઈ શકે છે. અરવલ્લી અને સાબરકાંઠામાં થઈને પસાર થતી રેલવેની સુવિધા વધુ સારી બનશે.

ઝડપી રેલ સેવા પ્રાપ્ત થશે

હાલમાં અમદાવાદના અસારવા થી વાયા હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈન પર ડીઝલ એન્જીન ધરાવતી ટ્રેન દોડી રહી છે. ઉદયપુર, ચિત્તોડગઢ અને ઉજ્જૈન રુટની રેલવે ટ્રેનમાં મુસાફરોનો ધસારો હાલમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ઇલેક્ટ્રિફાઇડ લાઈન શરુ થઈ જતા વર્ષ 2024 થી ડીઝલ એન્જિનને બદલે વીજળીથી ચાલતી ટ્રેન દોડવા લાગશે. જેમાં ગતિ વધવા સાથે સમયની પણ બચત થશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અસારવા થી વાયા હિંમતનગર થઈને ઉદયપુર રેલવે લાઈન ઇલેક્ટ્રિફાઇડ થવાની સાથે જ હવે વંદે ભારત ટ્રેનનુ સપનુ પણ સાકાર થઈ શકે છે. આગામી ઉત્તરાયણના તહેવારો દરમિયાન વીજળીથી ચાલતી ટ્રેનની શરુઆત આ ટ્રેક પર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. રેલવેના અધિકારીઓ સાથે વાતચીત મુજબ આ માટે હાલમાં ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ લાઈન કરવા માટેનુ કાર્ય ચલાવાઈ રહ્યુ છે.

ક્યાં પહોંચ્યુ કાર્ય?

હાલમાં હિંમતનગરથી અમદાવાદના અસારવા વચ્ચેની રેલવે લાઈનને ઈલેક્ટ્રિક તારથી માટેનુ કાર્ય ચાલી રહ્યુ છે. લાઈન પર મોટે ભાગે થાંભલાઓ લાગી ચૂક્યા છે. આ બંને સ્થળ વચ્ચેના 86 કિલોમીટરની રેલવે લાઈન પરનુ કાર્ય ડીસેમ્બરના અંતમાં સમાપ્ત કરવામાં આવશે. 45 કરોડ રુપિયાનો ખર્ચ થશે. તલોદમાં આ માટે એક વીજ સ્ટેશન પણ સ્થાપવામાં આવી રહ્યુ છે.

આવી જ રીતે હિંમતનગર થી ડૂંગરપુર વચ્ચે પણ ઈલેક્ટ્રીક લાઈન માટેનુ કાર્ય ઝડપી બનાવાયુ છે. જે પણ આ સાથે જ કાર્ય સંપૂર્ણ સમાપ્ત થઈ જશે એવી સંભાવના છે. આમ કુલ અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચેના 296 કિલોમીટર રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિફિકેશન કરી દેવાશે. આ માટે સતત હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલા અને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ફોલોઅપ મેળવવામાં આવી રહ્યુ છે. જેથી નવા વર્ષની શરુઆત સાથે નવી સુવિધાની ભેટ મળે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">