AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધાથી વધારે ખાલી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદ ખેંચાવાને લઈ પાક મૂરઝાવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ જળાશયોમાં પણ પૂરતાનો જળસંગ્રહ નહીં થયો હોઈ આગામી રવિ સિઝન માટે પણ ચિંતા અત્યારથી જ સતાવવા લાગી છે.

Monsoon: સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધાથી વધારે ખાલી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી
જળાશયો અડધાથી વધારે ખાલી
| Updated on: Aug 29, 2023 | 11:09 AM
Share

વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદ ખેંચાવાને લઈ પાક મૂરઝાવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ જળાશયોમાં પણ પૂરતાનો જળસંગ્રહ નહીં થયો હોઈ આગામી રવિ સિઝન માટે પણ ચિંતા અત્યારથી જ સતાવવા લાગી છે. સાબરકાંઠાના ગુહાઈ અને હાથમતી ડેમ માંડ અડધા જ ભરાયા છે. આ બંને જળાશય સાબરકાંઠા અને ગાંધીનગરના ખેડૂતો માટે રવિ સિઝનમાં સિંચાઈ માટે આશિર્વાદ રુપ રહેતા હોય છે.

અરવલ્લી જિલ્લાનો માઝમ ડેમ દરવાજા બદલવાને લઈ ખાલી કરવામાં આવ્યો હતો. પરંતુ અપેક્ષા મુજબ વરસાદ નહીં વરસવાને લઈ હાલમાં ડેમ માંડ ચોથા ભાગનો ભરાયો છે. આમ હવે સિંચાઈ સાથે પીવાના પાણી માટે પણ ચિંતા વ્યાપી છે. હવે ખેડૂતોથી લઈ સૌ કોઈ હજુ સારા વરસાદના રાઉન્ડની આશા સેવી રહ્યા છે.

ગુહાઈ અને હાથમતી અડધા જ ભરાયા

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સ્થાનિક જળાશયના પાણી કેનાલ મારફતે રવિ સિઝનમાં સિંચાઈ માટે આપવામાં આવતુ હોય છે. જેની પર મુખ્ય આધારે છે, એ ગુહાઈ અને હાથમતી જળાશય જ માંડ અડધા ભરાયા છે. ગત ચોમાસાની સિઝનમાં બંને જળાશયોમાં જળસંગ્રહ સારો થવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. પરંતુ હાલમાં હજુ અડધા ખાલી જળાશયે ચિંતાના વાદળો વધારી દીધા છે.

હાથમતી જળાશયની વાત કરવામાં આવે તો જળસંગ્રહ ક્ષમતા 152.93 એમસીએમ છે, જેની સામે હાલમાં માત્ર 68.13 એમસીએમ જળસંગ્રહ 29 ઓગષ્ટે નોંધાયો છે. આમ જળાશયમાં માત્ર 44.55 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે ગુહાઈ ડેમની સંપૂર્ણ જળસંગ્રહ ક્ષમતા 68.75 એમસીએમ છે. જેની સામે હાલમાં 36.52 એમસીએમ પાણી ભરાયેલુ છે. આમ ડેમ 53.13 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે.

માઝમ, મેશ્વો અને વાત્રકની સ્થિતિ પણ મુશ્કેલ

વાત અરવલ્લી જિલ્લાની કરવામાં આવેતો જિલ્લાના ત્રણેય મહત્વના જળાશયો માંડ અડધા કે તેથી ઓછા ભરાયા છે. વર્તમાન ચોમાસામાં વર્તમાન સપાટી જોવામાં આવે તો ચિંતાજનક સ્થિતિમાં છે. માઝમ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ઉનાળામાં રહ્યુ સહ્યુ પાણી પણ ખાલી કરવામાં આવ્યુ હતુ. ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, 28.68 ટકા જળસંગ્રહ નોંધાયેલો છે. માઝમ ડેમની જળસંગ્રહ ક્ષમતા 43.86 એમસીએમ છે. જેની સામે હાલમાં માત્ર 12.58 એમસીએમ પાણીનો જથ્થો ભરાયેલો છે.

વાત્રક ડેમની સ્થિતિ હાલમાં અડધાએ પહોંચી છે. ડેમમાં 50.06 ટકા પાણી ભરાયેલુ છે. વાત્રક જળાશયની જળક્ષમતા 158.20 એમસીએમ છે, જેની સામે હાલમાં 79.19 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. મેશ્વો જળાશય 46.89 ટકા ભરાયેલો છે. ડેમની જળસંગ્રહ ક્ષમતા 53.13 એમસીએમ, જ્યારે હાલમાં 24.91 એમસીએમ જળસંગ્રહ નોંધાયેલો છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">