Monsoon: સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધાથી વધારે ખાલી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદ ખેંચાવાને લઈ પાક મૂરઝાવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ જળાશયોમાં પણ પૂરતાનો જળસંગ્રહ નહીં થયો હોઈ આગામી રવિ સિઝન માટે પણ ચિંતા અત્યારથી જ સતાવવા લાગી છે.

Monsoon: સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધાથી વધારે ખાલી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી
જળાશયો અડધાથી વધારે ખાલી
Follow Us:
| Updated on: Aug 29, 2023 | 11:09 AM

વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદ ખેંચાવાને લઈ પાક મૂરઝાવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ જળાશયોમાં પણ પૂરતાનો જળસંગ્રહ નહીં થયો હોઈ આગામી રવિ સિઝન માટે પણ ચિંતા અત્યારથી જ સતાવવા લાગી છે. સાબરકાંઠાના ગુહાઈ અને હાથમતી ડેમ માંડ અડધા જ ભરાયા છે. આ બંને જળાશય સાબરકાંઠા અને ગાંધીનગરના ખેડૂતો માટે રવિ સિઝનમાં સિંચાઈ માટે આશિર્વાદ રુપ રહેતા હોય છે.

અરવલ્લી જિલ્લાનો માઝમ ડેમ દરવાજા બદલવાને લઈ ખાલી કરવામાં આવ્યો હતો. પરંતુ અપેક્ષા મુજબ વરસાદ નહીં વરસવાને લઈ હાલમાં ડેમ માંડ ચોથા ભાગનો ભરાયો છે. આમ હવે સિંચાઈ સાથે પીવાના પાણી માટે પણ ચિંતા વ્યાપી છે. હવે ખેડૂતોથી લઈ સૌ કોઈ હજુ સારા વરસાદના રાઉન્ડની આશા સેવી રહ્યા છે.

ગુહાઈ અને હાથમતી અડધા જ ભરાયા

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સ્થાનિક જળાશયના પાણી કેનાલ મારફતે રવિ સિઝનમાં સિંચાઈ માટે આપવામાં આવતુ હોય છે. જેની પર મુખ્ય આધારે છે, એ ગુહાઈ અને હાથમતી જળાશય જ માંડ અડધા ભરાયા છે. ગત ચોમાસાની સિઝનમાં બંને જળાશયોમાં જળસંગ્રહ સારો થવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. પરંતુ હાલમાં હજુ અડધા ખાલી જળાશયે ચિંતાના વાદળો વધારી દીધા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

હાથમતી જળાશયની વાત કરવામાં આવે તો જળસંગ્રહ ક્ષમતા 152.93 એમસીએમ છે, જેની સામે હાલમાં માત્ર 68.13 એમસીએમ જળસંગ્રહ 29 ઓગષ્ટે નોંધાયો છે. આમ જળાશયમાં માત્ર 44.55 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે ગુહાઈ ડેમની સંપૂર્ણ જળસંગ્રહ ક્ષમતા 68.75 એમસીએમ છે. જેની સામે હાલમાં 36.52 એમસીએમ પાણી ભરાયેલુ છે. આમ ડેમ 53.13 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે.

માઝમ, મેશ્વો અને વાત્રકની સ્થિતિ પણ મુશ્કેલ

વાત અરવલ્લી જિલ્લાની કરવામાં આવેતો જિલ્લાના ત્રણેય મહત્વના જળાશયો માંડ અડધા કે તેથી ઓછા ભરાયા છે. વર્તમાન ચોમાસામાં વર્તમાન સપાટી જોવામાં આવે તો ચિંતાજનક સ્થિતિમાં છે. માઝમ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ઉનાળામાં રહ્યુ સહ્યુ પાણી પણ ખાલી કરવામાં આવ્યુ હતુ. ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, 28.68 ટકા જળસંગ્રહ નોંધાયેલો છે. માઝમ ડેમની જળસંગ્રહ ક્ષમતા 43.86 એમસીએમ છે. જેની સામે હાલમાં માત્ર 12.58 એમસીએમ પાણીનો જથ્થો ભરાયેલો છે.

વાત્રક ડેમની સ્થિતિ હાલમાં અડધાએ પહોંચી છે. ડેમમાં 50.06 ટકા પાણી ભરાયેલુ છે. વાત્રક જળાશયની જળક્ષમતા 158.20 એમસીએમ છે, જેની સામે હાલમાં 79.19 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. મેશ્વો જળાશય 46.89 ટકા ભરાયેલો છે. ડેમની જળસંગ્રહ ક્ષમતા 53.13 એમસીએમ, જ્યારે હાલમાં 24.91 એમસીએમ જળસંગ્રહ નોંધાયેલો છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">