રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી, એકની ધરપકડ

એક જ દિવસમાં ત્રણ સ્થળથી એસીબી ટ્રેપના સમાચાર સામે આવ્યા હતા. આ ત્રણેય ટ્રેપમાં પોલીસના કર્મચારીઓ ટ્રેપમાં ઝડપાયા છે. વધતા જતા ભ્રષ્ટાચારને લઈ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને આખરે એસીબીના શરણે ફરિયાદ કરવા માટે પહોંચતા હોય છે.

રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી, એકની ધરપકડ
ACBની કાર્યવાહી
Follow Us:
| Updated on: Jul 27, 2024 | 10:57 AM

ડગલેને પગલે લાંચ એ સામાન્ય બાબત બનતી જઈ રહી છે. લાંચ રુશ્વત વિરોધી દળ દ્વારા આ માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર ગાળીયો કસવા છતાં પણ એક બાદ એક જાળમાં સરકારી કર્મીઓ અને અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં ત્રણ સ્થળે પોલીસ કર્મીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. આવી જ રીતે હિંમતનગરના રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનના RPF જવાન એસીબી ટ્રેપમાં ઝડપાયા છે.

શુક્રવારે એક બાદ એક ત્રણ સ્થળથી એસીબી ટ્રેપના સમાચાર સામે આવ્યા હતા. આ ત્રણેય ટ્રેપમાં પોલીસના કર્મચારીઓ ટ્રેપમાં ઝડપાયા છે. વધતા જતા ભ્રષ્ટાચારને લઈ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને આખરે એસીબીના શરણે ફરિયાદ કરવા માટે પહોંચતા હોય છે.

રેલવે પોલીસના 2 કર્મીએ લાંચ માંગી

બોલો, હિંમતનગરમાં રેલવે પ્રોટેક્સન ફોર્સના જવાનોએ તો પ્લેટફોર્મ પર ઉતરતા સામાનની લાંચ માંગી છે. ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા ફરિયાદી પાસે પ્રતિ રેક દીઠ 1500 રુપિયા લાંચ માંગવામાં આવી હતી. જે માટે 20,000 રુપિયા માંગતા RPF ના બે જવાનો એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. આ અંગે એસીબીને ફરિયાદ મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ માટે અગાઉ 5000 રુપિયા આપ્યા હતા અને બાકીના 15000 આપવાના હતા. જેને લઈ શુક્રવારે ફરિયાદીને હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશન પર મળવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જ્યાં રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મળવા આવતા તેની પાસેથી લાંચ લેવા અંગેની વાતચીત કરીને રકમ રંગેહાથ લેવા જતાં જ એસીબીની ટીમે રેલવે પોલીસના કોન્સ્ટેબલ મુસ્તાક ઈબ્રાહીમભાઈ ડોડીયાને ઝડપી લીધો હતો. મુસ્તાક ડોડીયાએ ચેહર શંકરભાઈ રબારી સાથે ફોનથી ટ્રેપ દરમિયાન લાંચ અને તેની રકમ અંગે વાતચીત કરી હતી. જે ટ્રેપનું જાણીને બહાર હોવાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એસીબીએ બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

રેલવે પ્લેટફોર્મ પર સામાન ઉતારવાની લાંચ

ફરિયાદી ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા હોય તેમનો સામાન રેલવેના વેગનમાં આવતો હોય છે. આથી જે સામાન પ્લેટફોર્મ પર ઉતરતા તેને સલામત રહે એ માટેની વ્યવસ્થા પેટે લાંચની રકમ માંગી હતી. એટલે કે રેલવે પોલીસના કોન્સ્ટેબલોએ સામાનની રખેવાળી પેટે આ લાંચની રકમ માંગી હતી.

પ્લેટફોર્મ પર ઉતરતા સામાન અંગે રેક દીઠ આ કર્મીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હતી. જેમાં પ્રતિ રેક દીઠ 1500 રુપિયાની લાંચ લેવામાં આવતી હતી. આ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ ચેહર રબારીએ 10 રેકના હિસાબ સહિત 20 હજારની લાંચની માંગણી કરી હતી. જેને લઈ અરવલ્લી એસીબીના મહિલા પીઆઈ ટીએમ પટેલે છટકું ગોઠવ્યું હતુ.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ વેવાઈની અરજીનો નિકાલ કરવા 8000 લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">